વર્ષ ૨૦૨૧માં આ રાશિઓ પર રહેશે શનિ ની સાડાસાતી, જાણો તમારી રાશિ પર શું પડશે પ્રભાવ

વર્ષ ૨૦૨૧માં આ રાશિઓ પર રહેશે શનિ ની સાડાસાતી, જાણો તમારી રાશિ પર શું પડશે પ્રભાવ

થોડા સપ્તાહ બાદ નવું વર્ષ શરૂ થવાનું છે. વર્ષ ૨૦૨૦ ઘણું ખરાબ રહ્યું છે અને તેવામાં લોકોને આશા છે કે વર્ષ ૨૦૨૧ સારું સાબિત થશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષ ૨૦૨૧માં ઘણા બધા ગ્રહોની સ્થિતિ બદલવાની છે, જેની સીધી અસર દરેક રાશિ પર પડશે. શનિનું રાશિ પરિવર્તન થવાનું છે. જેના કારણે ઘણા લોકોના જીવન પર તેનો પ્રભાવ પડી શકે છે. શનિદેવ આગલા અઢી વર્ષ સુધી ધન રાશિ છોડીને મકરરાશિમાં રહેશે. આ રાશિમાં શનિ વર્ષ ૨૦૨૨ સુધી રહેશે.

શનિદેવ વર્ષ ૨૦૨૧ માં રાશિ એટલે કે મકર રાશિમાં ગોચર કરતા રહેશે. વર્ષ ૨૦૨૧માં શનિદેવ રાશિ પરિવર્તનને જગ્યાએ નક્ષત્ર પરિવર્તન કરશે, જેના કારણે વર્ષ ૨૦૨૧માં ધન મકર અને કુંભ રાશિ પર શનિની સાડાસાતી રહેશે. તેવામાં આ રાશિના જાતકોએ સંભાળીને રહેવાની જરૂરિયાત છે. જ્યારે વર્ષ ૨૦૨૧ માં મિથુન અને તુલા રાશિ પર શનિની ઢૈયા રહેવાની છે.

મેષ રાશિ : મેષ રાશિના જાતકોને શનિનાં નક્ષત્ર પરિવર્તનથી સામાન્ય પરિણામ પ્રાપ્ત થશે.

વૃષભ રાશિ : વૃષભ રાશિના જાતકોને વર્ષ ૨૦૨૧ માં આર્થિક સ્થિતિ મજબૂત થશે અને શુભ સમાચાર પ્રાપ્ત થશે.

મિથુન રાશિ : મિથુન રાશિના લોકોને ઘણા સંઘર્ષ બાદ સફળતા મળશે. તણાવમાં વધારો થઈ શકે છે. આ રાશિમાં શનિની તૈયાર રહેવાની છે.

કર્ક રાશિ : કર્ક રાશિના જાતકોને વેપારમાં ફાયદો મળશે અને દરેક વ્યક્તિ તરફથી સહયોગ પ્રાપ્ત થશે.

સિંહ રાશિ : સિંહ રાશિના જાતકોનાં સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. એટલા માટે થોડું સંભાળીને રહેવાની જરૂરિયાત છે.

કન્યા રાશિ : શનિ ભૂચર થી કન્યા રાશિના લોકોને ધનલાભ થશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થઇ શકે છે.

તુલા રાશિ : તુલા રાશિના માન-સન્માનમાં વૃદ્ધિ થશે. આવકમાં વધારો થવાના યોગ બની રહ્યા છે. શનિના ગોચરથી શુભ પરિણામની પ્રાપ્તિ થશે.

વૃશ્ચિક રાશિ : વૃશ્ચિક રાશિના જાતકોના અટવાયેલા બધા જ કાર્યો સમયસર પૂર્ણ થઇ જશે. આવકમાં વૃદ્ધિ થવાની પણ સંભાવના દેખાઈ રહી છે.

ધન રાશિ : ધન રાશિના લોકોને લાભ મળશે અને ભાગ્યનો સાથ હંમેશા મળતો રહેશે.

મકર રાશિ : મકર રાશિના લોકોને પૈતૃક સંપત્તિથી લાભ મળી શકે છે. પરિવાર તરફથી શુભ સમાચાર સાંભળવા મળશે.

કુંભ રાશિ : કુંભ રાશિના જાતકોનો ખર્ચ વધી શકે છે અને લાંબા અંતરની યાત્રા કરવી પડી શકે છે.

મીન રાશિ : મીન રાશિના જાતકોને ધનલાભ થવાની સંભાવના છે. સાથોસાથ શુભયાત્રા થવાના પણ યોગ બની રહ્યા છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *