વક્રી બુધ નો વૃષભ રાશિમાં પ્રવેશ, આ ૪ રાશિના લોકો રહેશે ભાગ્યાશાળી, થશે બમ્પર લાભ

વક્રી બુધ નો વૃષભ રાશિમાં પ્રવેશ, આ ૪ રાશિના લોકો રહેશે ભાગ્યાશાળી, થશે બમ્પર લાભ

જ્યોતિષશાસ્ત્ર અનુસાર ૩ જુન નાં વક્રી અવસ્થામાં બુધ વૃષભ રાશિમાં પ્રવેશ કરી ચુક્યા છે અને હવે ૨૩ જૂન નાં બુધ માર્ગી થશે. અને ૩  જુલાઈ નાં ફરી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. બુધ ગ્રહ નાં આ પરિવર્તનથી દરેક રાશિ પર તેનો કોઈને કોઈ પ્રભાવ જરૂર જોવા મળશે. તો ચાલો જાણીએ તમારી રાશિ પર તેનો શું પ્રભાવ રહેશે.

કન્યા રાશિ

કન્યા રાશિવાળા લોકો માટે બુધનું ગોચર ખૂબ જ શુભ સાબિત થશે. તમારી રાશિનાં ભાગ્ય ભાવમાં આ ગોચર જોવા મળશે જેના કારણે સફળતા મળવાના યોગ છે. તમે તમારી વિચારેલી યોજનાઓને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો. તમને દરેક કાર્યમાં સિદ્ધિ મળશે. વિદેશ કામ કરી રહેલા લોકોને ભારે માત્રામાં લાભ થશે. કોઈ મિત્ર કે સગા સંબંધી તરફથી સારા સમાચાર નાં યોગ બની રહ્યા છે. પરિવારમાં માંગલિક કાર્યોનો અવસર આવશે. તમારા સાહસ અને પરાક્રમ માં વૃદ્ધિ થશે. નવા નવા લોકો સાથે મુલાકાત થશે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિમાં સાતમા ભાવમાં વક્રી બુધનું  ગોચર થશે. જેના કારણે તેનો પ્રભાવ શુભ રહેશે. અચાનક ધનપ્રાપ્તિ નાં યોગ છે. પરિવારમાં કોઇ સભ્ય તરફથી તમને ફાયદો થશે. ભાઈ-બહેનોનો પૂરો સહયોગ મળી રહેશે. વિવાહ સંબંધિત વાતમાં થોડો વિલંબ થઈ શકે છે. દાંપત્ય જીવનમાં સારો તાલમેળ બની રહેશે. વેપાર સારો ચાલશે. થોડા પ્રયત્નો માં વધારે સફળતા મળવાના યોગ બની રહ્યા છે.

ધન રાશિ

ધન રાશિ વાળા લોકોની રાશિમાં છઠા શત્રુ ભાવમાં બુધ નું ગોચર થશે. બુધ અને રાહુ નું એક જ સ્થાનમાં હોવાનું તમારા માટે શુભ સાબિત થશે. ગુપ્ત શત્રુ વધી શકે છે પરંતુ તેને તમે પરાજિત કરી શકશો. કોર્ટ-કચેરીની બાબતમાં નિર્ણય તમારા પક્ષમાં આવશે. સ્વાસ્થ્ય સારું રહેશે. તમારા ખાનપાન પર થોડો સંયમ રાખવો. આ સમય દરમ્યાન ઉધાર આપેલું ધન પરત મળી શકશે. મોટી માત્રામાં ધન લાભ થશે. કોઈ પ્રકારનું રોકાણ કરવા ઇચ્છતા હોવ તો તમને ફાયદો થશે. પરિવાર નાં લોકો સાથે સારો સમય પસાર કરી શકશો.

મીન રાશિ

મીન રાશિવાળા લોકો માટે આ પરિવર્તન ખૂબ જ શુભ રહેશે. તમારા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. જેના આધારે તમે મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિ પર સરળતાથી વિજય પ્રાપ્ત કરી શકશો. ભાઈ-બહેનો સાથે ચાલી રહેલ મતભેદ દૂર થશે. માનસિક તણાવ ઓછો થશે. ધર્મ-કર્મ નાં કાર્યો માં ભાગ લઈ શકશો. વિદેશી કંપનીમાં સર્વિસ અથવા નાગરિકતા માટે કરવામાં આવેલા પ્રયત્નો સફળ થશે. પ્રભાવશાળી લોકોનાં માર્ગદર્શન થી કેરિયર નાં ક્ષેત્રમાં સતત આગળ વધી શકશો.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *