શિવજી સિવાય આ દેવતાઓને પ્રસન્ન કરવાથી પણ તમે પોતાનો મનપસંદ પ્રેમ મેળવી શકો છો, આવી રીતે કરો પ્રસન્ન

શિવજી સિવાય આ દેવતાઓને પ્રસન્ન કરવાથી પણ તમે પોતાનો મનપસંદ પ્રેમ મેળવી શકો છો, આવી રીતે કરો પ્રસન્ન

આ સંસારમાં દરેક વ્યક્તિને એક સારા જીવનસાથીની તલાશ રહે છે. દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તેને પોતાના મનપસંદ પ્રેમ મળે. સામાન્ય રીતે જોવામાં આવે છે કે યુવક અથવા યુવતીનાં વિવાહ માટે ગ્રહ-નક્ષત્ર જવાબદાર હોય છે. ઘણી વખત મનુષ્યને પોતાના મન અનુસાર જીવનસાથી અથવા પ્રેમની પ્રાપ્તિ થતી નથી. જો તમે પ્રેમ સાથે સંબંધિત દેવતાઓને પ્રસન્ન કરવા માંગો છો, તો તમને શુભ પરિણામ પ્રાપ્ત થાય છે. આજે અમે તમને અમુક એવા દેવતા વિશે જાણકારી આપીશું, જેમને પ્રેમનાં દેવતા માનવામાં આવે છે. તેમને પ્રસન્ન કરવાથી મનપસંદ પ્રેમની પ્રાપ્તિ થાય છે.

ભગવાન શિવજી

દેવોનાં દેવ મહાદેવ સૌથી શ્રેષ્ઠ દેવતા માનવામાં આવે છે. એવું જણાવવામાં આવે છે કે જો તેઓ કોઈ વ્યક્તિ પ્રસન્ન થઈ જાય તો તે વ્યક્તિને બધી મનોકામનાઓ પૂરી થઈ જાય છે. ભગવાન શિવજી અને દેવી પાર્વતીજી ને સૃષ્ટિનાં સૌથી પ્રેમાળ જીવનસાથી માનવામાં આવે છે. સૌથી પહેલા પ્રેમ વિવાહ પણ શિવજીનાં પાર્વતીજી સાથે થયા હતા. જો મહિલાઓ પોતાનો મનપસંદ જીવનસાથી મેળવવા માંગે છે, તો આવી સ્થિતિમાં ભગવાન શિવજીની આરાધના જરૃર કરવી જોઈએ. મહાશિવરાત્રી અને સોમવારના દિવસે યુવતીઓએ મનપસંદ જીવનસાથી માટે ભગવાન શિવજીની પૂજા કરી શકે છે.

ભગવાન શ્રીકૃષ્ણ

હિંદુ ધર્મ માન્યતાઓ અનુસાર જોવામાં આવે તો ભગવાન શ્રીકૃષ્ણજી રાસ અને રોમાન્સના દેવતા માનવામાં આવે છે. જો તમે સાચા પ્રેમની તલાશમાં છો, તો ભગવાન શ્રીકૃષ્ણની આરાધના જરૃર કરવી જોઈએ. તમે ભગવાન શ્રીકૃષ્ણની સાથે સાથે રાધાજીની પણ પૂજા કરો. આવું કરવાથી તમને મનપસંદ જીવનસાથી મળશે અને તમારા બંનેની વચ્ચે હંમેશા પ્રેમ જળવાઈ રહેશે.

કામદેવ

તમે બધાએ કામદેવ વિશે તો સાંભળ્યું હશે. પૌરાણિક કાળની ઘણી વાર્તાઓમાં કામદેવનો ઉલ્લેખ મળી આવે છે. કામદેવને પ્રેમના દેવતા માનવામાં આવે છે. હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર કામદેવને પ્રેમ અને આકર્ષણનાં દેવતા કહેવામાં આવે છે. કામદેવનાં વિવાહ રતિ નામની દેવી સાથે થયા હતા, જે પ્રેમ અને આકર્ષણની દેવી માનવામાં આવે છે. કામદેવની તુલના મોટાભાગે ગ્રીક દેવતા ઇરોજ સાથે કરવામાં આવે છે. કામદેવને એવા દેવતા માનવામાં આવેલ છે જે આપણી બધી ઈચ્છાઓ, પ્રેમ અને વાસના માટે જવાબદાર છે. યુવાન અને સુંદર કામદેવ ભગવાન બ્રહ્માજીનાં પુત્ર માનવામાં આવે છે. જો તમે તેને પ્રસન્ન કરી લો છો, તો તમને પોતાના મનપસંદ પ્રેમની પ્રાપ્તિ થાય છે.

શુક્ર

જો જીવનમાં પ્રેમનું ફૂલ ખીલવવા માગો છો, તો તેના માટે શુક્ર ગ્રહ સારો હોવો ખુબ જરૂરી છે. જો તમારી કુંડળીમાં શુક્ર ગ્રહની સ્થિતિ મજબૂત છે, તો તમને પ્રેમમાં સફળતા મળે છે. પતિ-પત્ની, પ્રેમ સંબંધ, ભોગ વિલાસ, આનંદ વગેરેનો કારક શુક્ર ગ્રહ માનવામાં આવે છે. જો શુક્ર ગ્રહ તમારા પર મહેરબાન છે, તો તમારું જીવન પ્રેમથી પરિપૂર્ણ રહેશે. જો તમે શુક્ર દેવની પૂજા કરો છો, તો તેનાથી તમને મનપસંદ પ્રેમની પ્રાપ્તિ થાય છે.

રતિ

તમને જણાવી દઈએ કે પ્રજાપતિ દક્ષની દીકરી હતી. માનવામાં આવે છે તે ભગવાન કામદેવ ની સહાયક છે. રતી પ્રેમ, આનંદ, વાસનાની દેવી માનવામાં આવે છે. જો તમે મનપસંદ પ્રેમની અભિલાષા રાખો છો, તો તમારે રતિ ની પૂજા કરવી જોઈએ.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *