શાસ્ત્રોના અનુસાર મહિલાઓને ભૂલમાં પણ ના કહેવા જોઈએ આ બે શબ્દો, મહાલક્ષ્મી થઇ જાય છે નારાજ

શાસ્ત્રોના અનુસાર મહિલાઓને ભૂલમાં પણ ના કહેવા જોઈએ આ બે શબ્દો, મહાલક્ષ્મી થઇ જાય છે નારાજ

શરૂઆતથી જ ભારત દેશમાં મહિલાઓને દેવીનું રૂપ માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે દરેક મહિલામાં ધનની દેવી માતા લક્ષ્મીજીનું રૂપ હોય છે. તેથી મહિલાઓને દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે. એક મહિલા જ હોય છે જે બે કુળને રોશન કરે છે. માં ના રૂપમાં બાળકને જન્મ આપે છે અને એક દીકરીના રૂપમાં પોતાના ઘરને રોશન કરે છે.

મહિલા કોઈની પત્નિ બનીને પોતાની જવાબદારીઓને ખૂબ જ સારી રીતે નિભાવે છે અને એક પરિવારનું નિર્માણ પણ કરે છે. એક મહિલા જ છે જે ઘરમાં ખુશીઓ લઈને આવે છે. આ બધા કારણોને લીધે જ મહિલાઓને દેવી ના સમાન માનવામાં આવે છે. મહિલા પોતાની અંદર એટલી ક્ષમતા રાખે છે કે તે કોઈપણ ઘરને સ્વર્ગ બનાવી શકે છે અને તે ઇચ્છે તો સ્વર્ગ જેવા ઘરને પણ નર્કમાં બદલી શકે છે. મહિલાની અંદર ઘણા ગુણ હોય છે. જેના વિશે કલ્પના કરવી પણ મુશ્કેલ છે.

મહિલાઓને ખૂબ જ સહનશીલ અને ધૈર્ય રાખવાવાળી માનવામાં આવે છે. પરંતુ ઘણીવાર એવું બને છે કે આપણે સ્ત્રીને માન આપવાને બદલે તેમને એવા શબ્દો બોલી દઈએ છીએ કે જે શબ્દોને આપણે ભૂલમાં પણ બોલવા ના જોઈએ અને આપણે સ્ત્રી માટે એવા શબ્દોનો પ્રયોગ ના કરવો જોઈએ કે જેનાથી મહિલાના સન્માનને ઠેસ પહોંચે અને તેમનું મન દુઃખી થાય. આ તમામ વાતોને ધ્યાનમાં રાખતા અમે આજે આ લેખના માધ્યમથી તમને એવા બે શબ્દોના વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ જે શાસ્ત્રો અનુસાર કોઇપણ મહિલાને ભૂલમાં પણ કહેવા ના જોઈએ. જો તમે આ શબ્દોનો પ્રયોગ કરો છો તો તેનાથી સ્ત્રીનું અપમાન થાય છે.

તો ચાલો જાણીએ એ બે શબ્દો વિશે

આ દુનિયામાં દરેક વ્યક્તિની પોતાની કંઈક મજબૂરી હોય છે અને તે આ મજબૂરીના લીધે કોઈપણ કાર્ય કરે છે. તેથી કોઈપણ મહિલા પોતાના શોખના લીધે વૈશ્યાનું કાર્ય કરતી નથી. તેમની પાછળ પણ તે મહિલાની કંઈક ને કંઈક મજબૂરી જરૂર હશે. જેના લીધે જ તે આ ખોટા રસ્તા પર ચાલી હશે. તેથી ભલે ગમે તે મહિલા વૈશ્યા કેમ ના હોય પરંતુ તેમને પોતાના માટે વૈશ્યા શબ્દ સાંભળવો બિલકુલ પણ પસંદ હોતો નથી. તેથી તમારે ભૂલમાં પણ તે મહિલાને આ પ્રકારના શબ્દ કહેવા ના જોઈએ.

તમારે આવી મહિલાઓને તેમની પરિસ્થિતિ પર છોડી દેવી જોઈએ. નહિતર શું ખબર તેમના મનમાંથી નીકળેલી બદદુઆ તમને લાગી જાય અને તમારું જીવન બરબાદ થઈ જાય. તેથી તમારે આવા શબ્દો કહેવાથી બચવું જોઈએ કે જેથી તમારે આગળ જતાં પસ્તાવાનો વારો ના આવે.

તમારે ભૂલમાં પણ કોઇપણ મહિલાને બાંજ ના કહેવું જોઈએ. કારણકે બધી જ સ્ત્રીઓ માં બની શકે તે જરુરી નથી. ઘણીવાર સ્ત્રીઓની અંદર અમુક પ્રાકૃતિક ખામી હોય છે કે જેના કારણે તેમને માં બનવાનું સુખ પ્રાપ્ત થતું નથી અને તેનું દુઃખ તે સ્ત્રીઓને પણ હોય છે. જો આવી સ્થિતિમાં તમે કોઈ મહિલાને બાંજ કહીને બોલાવો છો તો તે મહિલાને ખૂબ જ વધારે દુઃખ લાગે છે અને બની શકે છે કે પોતાના દુઃખના કારણે તે તમને અમુક ખોટા શબ્દો કહી દે અને તેની બદદુઆ તમને લાગી જાય કે જેને તમે તમારી પૂરી જિંદગી ભોગવતા રહો. કારણકે આવી મહિલાઓની બદદુઆ ખાલી જતી નથી. આ મહિલાઓ પોતાની આત્માથી બદદુઆ આપે છે. તેથી તમારે ભૂલથી પણ આવી ભૂલ ના કરવી જોઈએ.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *