ચાણક્ય નીતિ : સાંપ થી પણ વધારે ખતરનાક હોય છે આ ૪ પ્રકારનાં લોકો, અત્યારે જ કરી દો જિંદગી થી દુર

ચાણક્ય નીતિ : સાંપ થી પણ વધારે ખતરનાક હોય છે આ ૪ પ્રકારનાં લોકો, અત્યારે જ કરી દો જિંદગી થી દુર

લોક પ્રિય શિક્ષક અને વિદ્વાન આચાર્ય ચાણક્યએ પોતાના જીવનથી મળેલા અનુભવોને એક પુસ્તક ચાણક્ય નીતિમાં જગ્યા આપી છે. આચાર્ય ચાણક્યનાં નીતિ ગ્રંથમાં મનુષ્ય માટે અનેક નીતિઓનો ઉલ્લેખ છે. જો વ્યક્તિને પોતાના જીવનકાળમાં તે નીતિઓનું અનુસરણ કરે છે તો તેનું જીવન સુખમય થઈ જાય છે.

સાથે જ ચાણકયએ પોતાનું પુસ્તક ચાણક્ય નીતિમાં અમુક એવા લોકોનો પણ ઉલ્લેખ કર્યો છે જે તમને નિષ્ફળતાનાં રસ્તા પર લઇ જાય છે. આચાર્ય ચાણક્ય એક શ્લોક દ્વારા મનુષ્યને કયા લોકોથી દૂર રહેવું જોઈએ તે જણાવ્યું છે. ચાણક્યની માનીએ તો આ પ્રકારનાં લોકો સાંપ થી પણ વધારે ખતરનાક હોય છે. આવા લોકોથી દૂર રહેવું જોઈએ. જો આ લોકોથી દૂર ના રહીએ તો મનુષ્ય જરૂરથી બરબાદ થઈ જાય છે.

दुराचारी च दुर्दृष्टिर्दुरावासी च दुर्जनः। यन्मैत्री क्रियते पुम्भिर्नरः शीघ्रं विनश्यति।।

આચાર્ય ચાણક્ય અનુસાર મનુષ્ય એવા વ્યક્તિ દૂર રહેવું જોઈએ જે બીજા સાથે દુર્વ્યવહાર કરતો હોય અથવા તો બીજાને નુકસાન કરવાની ભાવના રાખતો હોય. આ પ્રકારનાં વ્યક્તિને મિત્ર રાખવો સારો નથી. આવા મિત્ર જોડે રહેવાથી સારો વ્યક્તિ પણ ખરાબ થઈ જાય છે. કારણ વગર લોકોને નુકસાન પહોંચાડતા લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ, નહીં તો આવા લોકો તમને પણ નુકસાન પહોંચાડી શકે છે.

ચાણક્યની માનીએ તો એવા વ્યક્તિની સાથે રહેતા લોકો ઉપર પણ તેની ખરાબ સંગતની અસર જોવા મળે છે. વિદ્વાન અનુસાર જો કોઈ આવા વ્યક્તિત્વ વાળો છે તો તેના મિત્રો વિશે પણ ખબર રાખવી જોઈએ. ચાણક્યએ લખ્યું છે કે ઉપર જણાવેલા અવગુણો વાળા લોકો જોડે કોઈની દોસ્તી છે તો તેના યશ અને સન્માનમાં હંમેશા ઘટાડો થાય છે.

ભલે દુષ્ટ વ્યક્તિ ખૂબ જ જ્ઞાની હોય, તેમ છતાં પણ તેનાથી દૂર રહેવું જોઈએ. કારણકે મણિ થી અલંકૃત થયા પછી પણ સાપ ખુબ જ ખતરનાક હોય છે. આ જ કારણથી દુષ્ટ વ્યક્તિથી પણ બચીને રહેવું જોઈએ. જે લોકો ચાણક્યની આ વાતો અમલ કરે છે તે સફળતાની ઉંચાઇઓ પર પહોંચી શકે છે. સફળતાની સાથે વ્યવહારિક જ્ઞાન પણ પ્રાપ્ત કરે છે.

અહી જે ૪ લોકોથી ચાણક્યએ દૂર રહેવાની સલાહ આપી છે, તે છે – દુરાચારી લોકો, દુષ્ટ સ્વભાવનાં લોકો, કોઈ કારણ વગર બીજાને નુકસાન પહોંચાડતા લોકો અને દુષ્ટ વ્યક્તિ થી મિત્રતા રાખતા લોકો. આ લોકો જોડે મિત્રતા રાખીને તે પોતાની બરબાદીને નિમંત્રણ આપે છે, જેની જાણ તમને ભવિષ્યમાં થાય છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *