રાની મુખર્જી નાં પ્રેમમાં એ રીતે પાગલ થઈ ચૂક્યા હતા આ અભિનેતા, કે પોતાની પત્નીને પણ દેવા ઈચ્છતા હતા ડિવોર્સ

ગોવિંદા એવા અભિનેતા છે જેમણે પોતાના કરિયર માં એક થી એક ચડીયાતી ફિલ્મો આપી છે. તેમની ફિલ્મો રેકોર્ડ તોડતી હતી. આટલી ફિલ્મો કર્યા છતાં પણ ગોવિંદા ક્યારેય કોઇ વિવાદમાં સામે આવ્યા નથી. પરંતુ કદાચ એવા કોઈ અભિનેતા હશે જે આટલું નામ મેળવ્યા છતાં તેની સાથે વિવાદ જોડાયેલ ન હોય ગોવિંદા ની ફિલ્મ “હદ કરદી આપને” જેને ડાયરેક્ટર મનોજ અગ્રવાલે ડાયરેક્ટ કરી હતી.
આ ફિલ્મ ને આ વર્ષે ૨૧ વર્ષ પૂરા થઈ ગયા છે. આ ફિલ્મ વર્ષ 2 ૨૦૦૦ માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં ગોવિંદા અને રાની મુખરજી મુખ્ય ભૂમિકા માં હતા. આ બંનેની સાથે નિર્મલ પાંડે, રીતુ શિવપુરી પરેશ રાવલ જોની લીવર પણ મુખ્ય ભૂમિકા હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી ન હતી. પરંતુ આ ફિલ્મ દરમિયાન ગોવિંદા અને રાની મુખરજી નજીક આવી ગયા હતા. અને બંને વચ્ચે નાં અફેર ની બોલિવૂડમાં દરેકને ખબર પડી ગઈ હતી. આ અફેર દરમિયાન ગોવિંદા પહેલા થીજ પરિણીત હતા. જેમણે રાની માટે પોતાની પત્ની સુનીતા આહુજા ને છોડી દીધી હતી.
અભિનેતા ગોવિંદા ઘણા વર્ષોથી ફિલ્મોથી દૂર છે. ગોવિંદા એ અમુક વર્ષો પહેલા ફિલ્મ ‘આ ગયા હીરો’ થી કમબેક કર્યું હતું. પરંતુ કંઈ ખાસ કરી શક્યા નહીં. આ ફિલ્મનાં પ્રોડયુસર અને નિર્દેશક અને લેખક ગોવિંદા હતા. આજે ગોવિંદા ફિલ્મોથી દૂર છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે ફિલ્મો માત્ર ગોવિંદા ના નામથી ચાલતી હતી. તે દરમિયાન એક્ટિંગની સાથે પોતાના સામાન્ય જીવન ને લઈને પણ ચર્ચામાં હતા.
અભિનેતા ગોવિંદાએ પોતાની માતા નાં કહેવા પર સુનિતા સાથે સમયે લગ્ન કર્યા હતા. જ્યારે તે ઈન્ડસ્ટ્રી માં ખૂબ જ સંઘર્ષ કરી રહ્યા હતા. લગ્ન પછી તેમનું નસીબ બદલાય ગયું. ગોવિંદા ની ફિલ્મ એક પછી એક હિટ થવા લાગી. તેની સાથેજ તે સુપર સ્ટાર બની ગયા. આ બધા ની વચ્ચે વર્ષ ૨૦૦૦ માં તેમની ફિલ્મ “હદ કરદી આપને” આવી હતી. અને તેની સાથે રાની મુખર્જી હતી. તે સમયે થી બંને વચ્ચે અફેર નાં સમાચાર સામે આવ્યા હતા.
અમુક ખબરો મુજબ રાની મુખર્જી ગોવિંદા ની એક્ટીગ ને ખુબ જ પસંદ કરી હતી. પરંતુ નોર્મલી પણ તેને ગોવિંદા નો મજાક કરવાનો અંદાજ પસંદ હતો. તેથી બંને વચ્ચે અફેર નાં સમાચારો આવવા લાગ્યા હતા. અને તે બંને અનેક વખત એકસાથે જોવા પણ મળ્યા હતા. તેની સાથે જ ખબર આવી હતી કે, ગોવિંદા પોતાના પરિવારને મૂકી રાની સાથે રહેવા લાગ્યા હતા. આ સમાચાર પછી તેમની પત્ની સુનીતા એ તેનાથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. અને ત્યાર પછી ગોવિંદા ફરી લાઈન પર આવવા લાગ્યા હતા. કારણ કે તે પોતાનું વૈવાહિક જીવન બરબાદ કરવા માંગતા ન હતા. તેથી ફરી પોતાની પત્ની પાસે પાછા જતા રહ્યા. ગોવિંદા નું નામ એક્ટ્રેસ નીલમની સાથે પણ જોડાયેલું હતું. તે સમયમાંજ તેમની માતાએ તેમને ડાયરેક્ટર આનંદ સિંહ ની સાળી એટલે કે સુનીતા જોડે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો અને માતા નું કહેવાનું માંની તેમણે નીલમને છોડી. સુનિતા જોડે લગ્ન કરી લીધા.