જ્યારે સલમાન ખાને સ્વીકાર્યું કે તેમણે ઐશ્વર્યા રાયનાં માતા-પિતા સાથે ગેરવર્તણુક કરી હતી

દરેક દિકરીના પિતાની ઇચ્છા હોય છે કે તેમની દિકરીના લગ્ન એવા યુવક સાથે થાય જે તેનું ધ્યાન રાખે અને તેને સન્માન આપે. વળી, દરેક યુવતીને પોતાના પાર્ટનરથી આશા હોય છે કે તે તેની સાથે તેના માતા-પિતાને પણ સન્માન કરે, પછી ભલે તે સામાન્ય દિકરી હોય અથવા કોઈ ફેમસ સેલિબ્રિટી. આજે આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણકે આજે તમને એક એવી ઘટના વિશે જણાવીશું, જે વર્ષો પહેલાં બની હતી પરંતુ તેની યાદો આજે પણ તાજી છે.
આ વાત બોલીવુડનાં દબંગ એક્ટર સલમાન ખાન અને ઐશ્વર્યા રાય વચ્ચેની છે. તે વાત દરેક જાણે છે કે સલમાન અને ઐશ્વર્યા એકબીજાને ખુબ જ પ્રેમ કરતા હતા. પરંતુ તેમનો પ્રેમ જેટલો ચર્ચામાં આવ્યો એટલો જલ્દી તેમનો સંબંધ પૂરો થઈ ગયો. પરંતુ આ સંબંધ તૂટવાની પૂરી જવાબદારી સલમાન ખાનની છે. આ વાતને સલમાન ખાને જાતે કબૂલ કરી હતી.
સલમાન એશ્વર્યાની લવ સ્ટોરી
વર્ષ ૧૯૯૭ની વાત છે. જ્યારે બોલીવુડના સુપરસ્ટાર બનેલા સલમાન ખાન અને ઐશ્વર્યા રાય ને લઈને સંજય લીલા ભણસાલીએ ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ બનાવવાનો નિર્ણય લીધો. તે દરમિયાન એશ્વર્યાની સુંદરતાની ચર્ચાઓ ચારે બાજુ થતી હતી, પરંતુ વધારે સફળ અભિનેત્રી હતી નહીં. તે ફિલ્મ એશ્વર્યાનાં જીવન અને કારકિર્દી બંને માટે ટર્નિંગ પોઈન્ટ હતી. આ ફિલ્મના શુટિંગ દરમિયાન એશ્વર્યા અને સલમાન ખાન એકબીજાની નજીક આવ્યા હતા. ફિલ્મ ૯૦નાં દશકની સૌથી હિટ ફિલ્મ માંથી એક હતી.
તમને જણાવી દઈએ તો સલમાન પહેલાથી એશ્વર્યાની સુંદરતાના ફેન હતા. તેમણે જાતે સંજય લીલા ભણસાલીને એશ્વર્યાનું નામ સજેસ્ટ કર્યું હતું. તે સમયે અભિનેત્રી સોમી અલી ની સાથે સલમાન રિલેશનશિપમાં હતાં, પરંતુ મનમાં એશ્વર્યાની પસંદ કરવા લાગ્યા હતા. શુટિંગ દરમિયાન એશ્વર્યાનું દિલ પણ સલમાન ખાન ઉપર આવી ગયું. વર્ષ ૧૯૯૯માં જ્યારે એશ્વર્યા અને સલમાન ખાનનું નામ સાથે આવ્યું ત્યારે સોમીને આ વાત ખબર પડી ત્યારે સલમાન ખાનનાં દગા થી સોમી ને દુઃખ પહોંચ્યું હતું અને તે ભારત છોડીને વિદેશમાં રહેવા માટે જતી રહી હતી.
તમને જણાવી દઈએ તો સોમી અલી માત્ર ૧૬ વર્ષની હતી, ત્યારે તેમની સલમાન ખાનની ફિલ્મ મેને પ્યાર કિયા જોઈ હતી અને તેને જોઈ તેમને સલમાન ખાન થી પ્રેમ થઈ ગયો હતો. પોતાના પ્રેમને મેળવવા માટે સોમી અમેરિકાથી ઈન્ડિયા માત્ર સલમાન ખાન માટે આવી હતી. સલમાન અને સોમીનો સંબંધ ૮ વર્ષ ચાલુ હતો. તે સંબંધમાં જ્યારે દગો મળ્યો ત્યારે તે બધું મૂકી અને પાછી અમેરિકા જતી રહી.
સલમાન ઐશ્વર્યાનું બ્રેકઅપ
સોમી અલી વિદેશ જતી રહી. ત્યારબાદ સલમાન ખાન અને ઐશ્વર્યા નજીક આવવા લાગ્યા. બંને મીડિયાની સામે સ્પષ્ટપણે પોતાના સંબંધને સ્વીકારવા લાગ્યા. ઘણી પાર્ટી અને એવોર્ડ ફંકશનમાં એશ્વર્યા સલમાન ખાનની સાથે જવા લાગી, પરંતુ એશ્વર્યાના માતા-પિતાને સલમાન ખાન સાથેના સંબંધો પસંદ આવ્યા નહીં. તેમણે ક્યારેય પણ એશ્વર્યાને સલમાન ખાનને મળવા માટે રોકી ન હતી, પરંતુ જ્યારે એશ્વર્યા જાતે સલમાન ખાનનાં વ્યવહારથી પરેશાન થઈ ગઈ, ત્યારે એશ્વર્યાનાં માતા-પિતાએ તે સંબંધને પ્રત્યે પોતાની અસહમતી દર્શાવી.
કહેવામાં આવે છે કે સલમાન ખાન જલ્દી એશ્વર્યા સાથે લગ્ન કરવા માંગતા હતા.પરંતુ એશ્વર્યા પહેલા પોતાના કારકિર્દીની શરૂઆતમાં લગ્ન કરવા માંગતી ન હતી. તે કારણથી એશ્વર્યા અને સલમાન ખાન ની વચ્ચે અણબનાવ થઈ ગઈ. સલમાન ખાન એશ્વર્યાનું નામ તેમના કો-સ્ટાર સાથે જોડવા લાગ્યું હતી, જેના લીધે ઐશ્વર્યાને ઘણું દુ:ખ થતું હતું. એક જૂના મીડિયા ઇન્ટરવ્યૂમાં એશ્વર્યાએ આય વાત કબૂલ પણ કરી હતી. એટલું જ નહીં સલમાન ખાન પોતાનો ગુસ્સો કાઢવા માટે એશ્વર્યા સાથે મારઝુડ પણ કરવા લાગ્યા હતા.
વર્ષ ૨૦૦૧માં સલમાન ખાને હદ પાર કરી હતી. નવેમ્બર મહિનો ચાલુ હતો. તે રાત્રે ૩ વાગ્યે સલમાન ખાન ખૂબ જ ગુસ્સામાં એશ્વર્યાનાં એપાર્ટમેન્ટમાં આવ્યા હતા, જે ૧૭માં માલ પર હતો. ત્યાં આવી સલમાન ખાને જોર-જોરથી એશ્વર્યાનો દરવાજો ખખડાવવા લાગ્યા હતા અને કહ્યું કે જો તું બહાર આવી નહીં, તો હું ૧૭માં માળ થી કૂદી જઈશ અને પોતાનો જીવ આપી દઈશ. પરંતુ એશ્વર્યા રાયનાં પિતાએ તેને તે દિવસે સલમાન ખાન સાથે મળવાની મંજુરી આપી નહીં અને પોલીસને બોલાવી.
સલમાને આ રીતે કર્યો એશ્વર્યાનાં પેરેન્ટ્સનો બચાવ
આ ઘટનાની સાથે સલમાન અને ઐશ્વર્યા સંબંધોમાં બ્રેક આવી ગયો એશ્વર્યા દીકરા થયા પછી સલમાને હંમેશા પૂછવામાં આવતું હતું કે આ સંબંધ તૂટવાની જવાબદારી કોણ છે એક વખત વર્ષ 2002માં સલમાન ખાને જાતે એક લીટીની મળ્યા હાઉસના ઇન્ટરવ્યૂમાં આ વાતની સાફ કરી હતી.તેમણે કહ્યું કે એશ્વર્યા ના માતા પિતા ઘણા સારા છે જે રીતે મારા માતા-પિતા વિચારે છે તેમજ તેમની પુત્રીના વિશે વિચારે છે કોઈ પિતા ની ઇચ્છા ના હોય કે તેની પુત્રીનું સંબંધે એવા યુવક સાથે થાય જેનો ભૂતકાળમાં ઘણા રિલેશનશિપમાં રહી ચૂકી હોય તેમણે એશ્વર્યાને મને મળવા માટે ક્યારેય રોકી નથી પરંતુ તે સત્ય છે કે મેં તેમની સાથે સારો વ્યવહાર કર્યો નથી જો એશ્વર્યા આ વાત ઉપર મારાથી ગુસ્સે છે તો તે કંઈ ખોટું નથી મારા પિતાની સાથે કોઈ આવું કરે તો કદાચ હું પણ આમ જ કરો પરંતુ મારી પ્રેમ માં ભૂલ થઈ ગઈ એશ્વર્યા ના પિતા એ જે કંઇ પણ કર્યું મને તેનાથી કોઈ ગુસ્સો નથી.
સલમાન ખાન સાથે પોતાના સંબંધોને લઈને ઐશ્વર્યાએ કરી હતી આ વાત
માર્ચ ૨૦૦૨માં ખબર આવવા લાગ્યા કે એશ્વર્યા અને સલમાન ખાન અલગ થઈ ગયા. એશ્વર્યાએ આ સંબંધ ઉપર બોલતા ઘણું રોકી પોતાને પરંતુ ત્યારબાદ તેમણે કહ્યું હતું કે અમારું બ્રેકઅપ થઈ ગયું છે, તેમ છતાં પણ તે મને ફોન કરે છે અને પરેશાન કરે છે. મારું નામ મારા કૉ-સ્ટાર્સની સાથે જોડે છે. પહેલા તો ઘણી વખત મારી સાથે મારપીટ પણ કરી ચૂક્યા છે. તેમ છતાં પણ હું કંઈ પણ બોલ્યા વગર અત્યાર સુધી કામ કરી રહી છું. જ્યારે હું તેમનો ફોન પીક ના કરું, ત્યારે તે મને મારવાની ધમકી આપે છે અને પોતાને પણ નુકસાન પહોંચાડે છે.
એક બીજા લીડીંગ હાઉસમાં ઇન્ટરવ્યૂમાં એશ્વર્યા રાય કહ્યું હતું કે હું સલમાન ખાનની સાથે હંમેશા ઊભી રહી છું. તેમના ખોટા વ્યવહાર અને મારપીટ સહન કરતી રહી, પરંતુ જ્યારે બધી ચીજો સહન ના થઈ ત્યારે દરેક મહિલા પોતાના આત્મસન્માન માટે આ પગલું ભરે છે. મેં પણ આ સંબંધનો અંત કરી દીધો. એટલું જ નહીં એશ્વર્યાએ આ વાત ઉપર કસમ લીધી કે થી ક્યારે પણ સલમાન ખાનની સાથે કામ કરવા નથી માગતી. એશ્વર્યા રાય પોતાની વાતને સાબિત કરી અને અત્યાર સુધી બંનેની એક ફિલ્મ આવી નથી, જેમાં બંને સાથે હોય.