જો તમારી ઇમ્યુનિટી ને મજબૂત બનાવી રાખવા ઈચ્છતા હોવ તો, આજથી જ આ ૫ વસ્તુઓનું ન કરવું સેવન

જો તમારી ઇમ્યુનિટી ને મજબૂત બનાવી રાખવા ઈચ્છતા હોવ તો, આજથી જ આ ૫ વસ્તુઓનું ન કરવું સેવન

દુનિયાભરમાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ જ તેજીથી ફેલાઈ રહ્યું છે. દિવસે ને દિવસે કોરોના થી પીડિત લોકોની સંખ્યા સતત વધી રહી છે. ભારતમાં રોજના લાખોની સંખ્યામાં લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ રહ્યા છે. અને લાખો લોકો કોરોના ને કારણે પોતાના જીવ પણ ગુમાવી ચૂક્યા છે. સરકાર દ્વારા કોરોના વાયરસ ને રોકવા માટે ઘણા પગલાઓ લેવામાં આવ્યા છે. પરંતુ કોઈ ખૂબ જ ફાયદો જોવા મળી રહ્યો નથી. કોરોના દેશ માટે ચિંતાનો વિષય બની ગયો છે.

કોરોના કાળમાં આપણે દરેકે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. આપણા દરેકની જવાબદારી છે. જો આપણે કોરોના નાં નિયમોનું પાલન કરશું. તો આ મહામારી થી સુરક્ષિત રહી શકશું. દુનિયાભર નાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે, જે લોકોની ઇમ્યુનિટી કમજોર છે તેને કોરોના વાયરસ નું જોખમ વધારે રહે છે. તેવી સ્થિતિમાં તમારી ઇમ્યુનિટી મજબૂત બનાવી રાખવી ખૂબ જ જરૂરી છે.

જો તમારી ઇમ્યુનીટી મજબૂત બનાવી રાખવા માંગતા હોવ તો તેના માટે પૌષ્ટિક આહાર જરૂરી છે. અને હેલ્થી વસ્તુઓનું સેવન કરશો તો તમારી ઇમ્યુનીટી સારી બની રહે છે. આજે અમે તમને આ લેખનાં માધ્યમથી એવી વસ્તુઓ વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ કે, જે વસ્તુઓ તમારી ઇમ્યુનીટી ને કમજોર બનાવવા માટે જવાબદાર હોય છે. જેટલું જલ્દી બની શકે તેટલું એ વસ્તુઓ નું સેવન ટાળવું.

ફાસ્ટ ફૂડ

હાલના સમયમાં મોટે ભાગ નાં લોકો ફાસ્ટ ફૂડ ખાવાનું પસંદ કરે છે. પરંતુ લગભગ જ કોઈને આ વાતની ખબર છે કે, ફાસ્ટ ફૂડ નું સેવન કરવાથી ઈમ્યુનિટી ધીમે ધીમે કમજોર થવા લાગે છે. એટલું જ નહીં પરંતુ ફાસ્ટ ફૂડ ખાવાથી ઘણાં પ્રકારની સમસ્યાઓ આપણા શરીર પર કબજો કરી લે છે. જો તમે તમારી ઇમ્યુનીટી ને કમજોર બનાવવા ન ઇચ્છતા હોવ તો ફાસ્ટ ફૂડનું સેવન છોડી દેવું. હંમેશા જોવામાં આવ્યું છે કે, લોકો ફાસ્ટફૂડનું સેવન કરે છે હંમેશા જોવામાં આવે છે કે, જે લોકો ફાસ્ટફૂડનું સેવન કરે છે. તેને પેટ સંબંધી પરેશાનીઓ વધારે રહે છે.

કેફીન

 

આપણે બધા લોકો ચા અને કોફી નું સેવન જરૂર કરીએ છીએ. પરંતુ આ વસ્તુઓ નુ સેવન સીમિત માત્રામાં કરવામાં આવે તો તેનાથી શરીરને નુકશાન નથી થતું. જરૂરતથી વધારે કોઈપણ વસ્તુનું સેવન હાનિકારક સાબિત થાય છે. ઘણા લોકો એવા હોય છે જે ચા, કોફીનું સેવન હંમેશા તાજગી મહેસુસ કરવા માટે કરે છે. તમને જણાવી દઈએ કે, તેમાં કેફિન હોય છે. જે તમારા લોહીમાં ભળીને આખા શરીરમાં ફેલાઇ જાય છે. તેનાથી સૌથી વધારે પ્રભાવિત તમારું મગજ થાય છે. સાથેજ તે આપણી ઇમ્યૂનિટીને પણ કમજોર કરે છે. માટે ચા અને કોફી નું ખૂબ જ ઓછી માત્રામાં સેવન કરવું જોઈએ.

તેલ

જ્યારે આપણે તેલમાં કોઈ વસ્તુ બનાવીએ છીએ. અને જે તેલ બચી જાય છે. તેને આપણે સુરક્ષિત કોઈ વાસણમાં રાખી દઈએ છીએ. જેથી બીજીવાર તેનો ઉપયોગ કરી શકીએ. પરંતુ આપણી આ આદત બરાબર નથી. શું તમે ઉપયોગમાં લીધેલ તેલ ઘણા દિવસો સુધી ઉપયોગ કરો છો. તો તેનાથી તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક પ્રભાવ પડી શકે છે. અને તેમાં પાચનતંત્ર ખરાબ થઈ શકે છે. એટલું જ નહીં પરંતુ તમારી ઇમ્યુનીટી પણ કમજોર થઈ શકે છે. તેથી એકવાર ઉપયોગમાં લીધેલ તેલને બીજીવાર ઉપયોગમાં ન લેવું.

શરાબ કે ધૂમ્રપાન

જે લોકો વધારે માત્રામાં શરાબનું સેવન કરે છે કે ધૂમ્રપાન વધારે કરે છે. તેની ઇમ્યુનિટી કમજોર થઈ જાય છે. શરાબ અને ધુમ્રપાન કરીને લોકો પોતાના સ્વાસ્થ્યની સાથે બેદરકારી દાખવે છે. આ વસ્તુઓનું વધારે સેવન કરવાથી કેન્સર જેવી ઘાતક બીમારીઓ થવાનું જોખમ રહે છે. તેથી એવી વસ્તુઓથી જેટલું બને તેટલું જલ્દી દૂર થવું યોગ્ય રહેશે.

પ્રોસેસ્ડ ફૂડ

કોરોના મહામારી ની વચ્ચે આપણે પ્રોસેસ્ડ ફૂડનું સેવન કરીએ છીએ તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. તે તમારા શરીરની ઇમ્યુનિટી કમજોર બનાવી દેછે. માટે પ્રોસેસ્ડ ફૂડ થી દૂરી બનાવી રાખવી. તમારા ઘર પર બનાવેલ તાજા ભોજનનું સેવન કરવું. તેનાથી તમારી ઇમ્યુનિટી મજબૂત બની રહેશે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *