જો તમે હનુમાનજીનાં ભક્ત છો તો આ પ્રતિમા થી પુરી થશે તમારી બધી જ મનોકામનાઓ, પરંતુ આ વાતોનુ રાખો ધ્યાન

આજકાલના સમયમાં મોટાભાગના લોકો હનુમાનજીની પૂજા અર્ચના કરીને તેમની કૃપા પ્રાપ્ત કરવા માંગે છે. ઘણા બધા લોકો એવા હોય છે જે તેમની વિશેષ ઈચ્છાઓ પૂરી કરવા માટે હનુમાનજીની ઉપાસના કરતા હોય છે. શાસ્ત્રો અનુસાર એવું જણાવવામાં આવે છે કે કળિયુગમાં પણ હનુમાનજી પોતાના ભક્તોની બધી જ મનોકામનાઓ ખૂબ જ જલ્દી સાંભળી લેતા હોય છે. જો કોઈ ભક્ત પોતાના સાચા મનથી તેમને યાદ કરે છે તો હનુમાનજી પોતાના ભક્તોના દરેક કષ્ટ દૂર અવશ્ય કરે છે. મહાબલી હનુમાનજીની મહિમા અપરંપાર બતાવવામાં આવે છે અને તેમની શક્તિઓનો અંદાજો લગાવવો મુશ્કેલ છે.
જો તમે હનુમાનજીની પૂજા કરો છો તો હનુમાનજીની પ્રતિમા અને તેને સ્થાપિત કરવાની દિશા ની જાણ હોવી ખૂબ જ જરૂરી છે. આજે અમે તમને જ્યોતિષશાસ્ત્ર અનુસાર હનુમાનજીની પૂજા આરાધના સાથે જોડાયેલી અમુક જરૂરી વાતો વિશે જાણકારી આપીશું, જેની સહાયતાથી તમે પોતાની મનોકામનાઓ ખૂબ જલ્દી પૂરી કરી શકશો.
હનુમાનજીની પ્રતિમાની પૂજા દરમિયાન આ વાતોનું રાખો ધ્યાન
સામાન્ય રીતે જોવામાં આવે તો મહાબલી હનુમાનજીની ઘણી બધી પ્રતિમાઓ અને તસ્વીરો જોવા મળે છે, જેનું પોતાનું અલગ મહત્વ બતાવે છે. એવું બતાવવામાં આવે છે કે તેમની અલગ અલગ તસ્વીરોની પૂજા કરવાથી મનુષ્યના જીવનના બધા જ કષ્ટ દૂર થઈ જાય છે. પરંતુ જો તમે પોતાની વિશેષ મનોકામનાઓ જલ્દી પૂર્ણ કરવા માંગો છો અને તમે ઇચ્છો છો કે તમારા ઘરની બધી પરેશાનીઓ દૂર થઈ જાય, તો તમારે ઉત્તરમુખી અને દક્ષિણમુખી હનુમાનજીની પૂજા કરવી જોઇએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી બધા દેવી-દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે. હનુમાનજીની પૂજા કરવાથી માનસિક કલેશની સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.
જો તમે ભાઈ-બહેનો અને માતા-પિતા વચ્ચેનો પ્રેમ જાળવી રાખવા માંગો છો તો તેના માટે તમારે હનુમાનજીની એવી તસવીરની પૂજા કરવી જોઈએ જેની અંદર તેઓ શ્રીરામ, માતા સીતા અને લક્ષ્મણજીની પૂજા કરી રહ્યા હોય. આવું કરવાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે અને પ્રેમ ભાવનાનો વિકાસ થાય છે.
જો તમારા ઘરમાં સૂર્યની ઉપાસના કરતા હનુમાનજીની પૂજા કરવામાં આવે છે, તો તેનાથી પરિવારના માન-સન્માન અને ઉન્નતિ માટે તેને લાભદાયક માનવામાં આવે છે. તેનાથી ઘરની નકારાત્મક ઊર્જા દૂર થાય છે. અધૂરા કાર્યો પણ તમારા પૂર્ણ થવા લાગે છે. પરંતુ તમારે તે વાતનું ધ્યાન રાખવાનું રહેશે કે તમે જે પણ પ્રતિમા રાખો તેની નિયમિત રૂપથી ઉપાસના કરવી જોઈએ.
હનુમાનજીના વિભિન્ન મુદ્રાવાળી તસવીરની પુજા કરો છો તો તેનાથી તમારી બધી જ મનોકામનાઓ ખૂબ જ જલ્દી પૂર્ણ થવાની સંભાવના રહે છે. તમે હનુમાનજીની ખાસ મુદ્રાવાળી તસ્વીરને પોતાના પૂજા સ્થળમાં વિધિ-વિધાન પૂર્વક સ્થાપિત કરો અને નિયમિત રૂપથી તેમની પૂજા કરો. સવાર-સાંજ હનુમાનજી સમક્ષ દીવો પ્રગટાવો અને સાથોસાથ મનોકામનાની પૂર્તિ માટે પ્રાર્થના કરો. જો તમે ૪૧ મંગળવાર અને શનિવાર સુધી આવું કરો છો, તો તેનાથી નિશ્ચિત રૂપથી તમને લાભ પ્રાપ્ત થાય છે. હનુમાનજીની કૃપાથી તમારા જીવનની બધી જ સમસ્યાનું સમાધાન થઇ જાય છે.