જાણો હવન કરતી વખતે શા માટે બોલવામાં આવે છે સ્વાહા

જાણો હવન કરતી વખતે શા માટે બોલવામાં આવે છે સ્વાહા

માનવામાં આવે છે કે, આપણો હિંદુ ધર્મ ખૂબ જ પ્રાચીન અને પવિત્ર ધર્મ છે. આ ધર્મમાં સાધુ મહાત્માઓ નું ખૂબ જ સન્માન કરવામાં આવે છે. આ ધર્મમાં એવી ઘણી માન્યતાઓ છે. જેના કારણે આ ધર્મ ખૂબ જ વિશેષ પણ છે. કેટલીક માન્યતા એવી છે કે, હિન્દુ ધર્મમાં કોઇપણ શુભ કાર્ય કરતા પહેલા યજ્ઞ કરવામાં આવે છે. અને તમે હંમેશા એ વાત પર ધ્યાન આપ્યું હશે કે, હવન સમય દરમ્યાન સ્વાહા શબ્દ નો ઉચ્ચારણ કરવામાં આવે છે. અને એવું જોવામાં આવે છે કે, એ કરવું ખૂબ જ સારું લાગે છે અને તેનાથી એક અલગ પ્રકારની અનુભૂતિ પણ પ્રાપ્ત થાય છે. આપણામાંથી લગભગ એવા ઓછા લોકો હશે જેમણે આ શબ્દ ક્યારેય બોલ્યો નહિ હોય. અને જે જાણતા હશે કે, સ્વાહા શબ્દ શા માટે બોલવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે, આપણા હિન્દુ ધર્મમાં સૌથી હવન ને પવિત્ર અને ધાર્મિક અનુષ્ઠાન ગણવામાં આવે છે. હવન કરતી વખતે ઘણા મંત્રનો જાપ સાથે સ્વાહા કહીને સામગ્રીનો હોમવામાં આવે છે. હકીકતમાં હવન કે ધાર્મિક અનુષ્ઠાન મંત્રપાઠ કરતી વખતે સામગ્રી કે ભોગ ભગવાનને અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, કોઈપણ વસ્તુ ત્યાં સુધી સફળ થતી નથી. જ્યાં સુધી હવન ને દેવતા ગ્રહણ ન કરે. દેવતા ત્યારેજ ગ્રહણ કરે છે જયારે અગ્નિ દ્વારા સ્વાહા  નાં માધ્યમથી તેને અર્પણ કરવામાં આવે.

તમને જણાવી દઈએ કે, સ્વાહા નો મતલબ થાય છે કે, સાચી રીતે પહોંચડવું. એટલે કે, કોઈપણ વસ્તુ તેના પ્રિય સુધી સહી-સલામત પહોંચાડવાની પદ્ધતિ. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, વાસ્તવમાં સ્વાહા અગ્નિ દેવ નાં પત્ની છે. અને તેથી હવન માં દરેક મંત્ર બાદ તેનું ઉચ્ચારણ કરવામાં આવે છે. જણાવી દઈએ કે, કોઈપણ અનુષ્ઠાનની અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ ક્રિયા છે. આવું કરતી વખતે તમારા હાથની મધ્ય અને અનામિકા આંગળી પર સામગ્રી લઈને અંગૂઠા નો આધાર લઇને મુર્ગી મુદ્રાથી તેને પ્રજવલિત અગ્નિમાં છોડવામાં આવે છે. આહુતિ હમેશા નમીને દેવામાં આવે છે. એ રીતે આહુતિ અગ્નિમાં પૂરી રીતે પડે અને તે દરમિયાન સ્વાહા શબ્દ નું ઉચ્ચારણ કરવું અતિ આવશ્યક છે.

 

તમને જણાવી દઈએ કે, અગ્નિદેવ પોતાની પત્ની  નાં માધ્યમથી આ વસ્તુ ગ્રહણ કરે છે. અને તે જ માધ્યમથી આહવાન કરવામાં આવેલ દેવતાઓ ને પ્રાપ્ત થાય છે. સ્વાહા પ્રકૃતિની એક ની એક કળા છે. જેના વિવાહ અગ્નિ દેવતા સાથે દેવતાઓ નાં આગ્રહ પર કરવામાં આવ્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણ પોતે સ્વાહા ને વરદાન આપ્યું હતું કે, ત્યાર બાદ થી જ  હવન કે અનુષ્ઠાન વગેરે માં આ શબ્દનું મહત્વ વધ્યું ગયું.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *