હોળીના દિવસે કરો આ ઉપાય માતા લક્ષ્મી દોડતા તમારી પાસે આવશે

હોળીના તહેવારનું વિશેષ ધાર્મિક મહત્વ છે. હોળીનો તહેવાર અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક છે. રંગોનો આ તહેવાર લોકોને દુશ્મનાવટ ભૂલીને એકબીજાને ભેટી પડવાની પ્રેરણા આપે છે. હોળીનો તહેવાર ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે સાંજે હોલિકા દહન કરવામાં આવે છે અને બીજા દિવસે રંગો લગાડવામાં આવે છે. આ વખતે હોળી 7 માર્ચે ઉજવાશે.
ધાર્મિક માન્યતા છે કે જો આ દિવસે અનેક પ્રકારની સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે કેટલાક ઉપાય કરવામાં આવે તો તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. ચાલો જાણીએ હોલિકા દહન પર સમસ્યાઓ માટે શું ઉપાય કરી શકાય.
હોલિકા દહન પર કરો આ સરળ ઉપાય
નોકરી-ધંધામાં લાભ માટે- હોલિકા દહનના દિવસે સવારે સ્નાન વગેરે કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરવા. ત્યારબાદ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ, રાધા-કૃષ્ણની પૂજા કરો. સાંજે એક નાળિયેર લઈને પરિવારના તમામ સભ્યોના માથા પર ફેરવવું અને પછી તેને હોલિકા દહનની અગ્નિમાં ચઢાવો. આ ઉપાયથી ધનના તમામ રસ્તા ખુલી જશે.
આર્થિક તંગી દૂર કરવા- હિન્દુ ધર્મમાં દાનને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ખાસ પ્રસંગોએ દાન કરવાથી અનેકગણું ફળ મળે છે. હોલિકા દહનનો દિવસ દાનની દ્રષ્ટિએ પણ ખાસ માનવામાં આવે છે. છોટી હોળીના દિવસે દાન કરવાથી આર્થિક તંગી દૂર થાય છે. આ ઉપાય કરવાથી આર્થિક સમસ્યાઓથી રાહત મળે છે.
આર્થિક સંકટમાંથી બહાર આવવા માટે- જો તમે કોઈ આર્થિક સંકટમાં ફસાયેલા છો, અથવા આર્થિક સમસ્યાઓ ખતમ થવાનું નામ નથી લઈ રહી તો હોલિકા બાળતા પહેલા લાકડાના ઢગલાનું પૂજન કરો અને તેને મીઠા ફળ અર્પણ કરો. ત્યારબાદ હોલિકા દહનના સમયે અગ્નિમાં ઘઉં, વટાણા અને ચણા અર્પિત કરો. જો ઘરની મહિલાઓ આવું કરે તો માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે.