હનુમાનજીના ચમત્કારિક મંત્ર. અચાનક સંકટ આવી પડે તો હનુમાનજી મહારાજના આ મંત્રોનો કરો જાપ. અશક્ય કામ શક્ય થઈ જશે.

ભગવાન હનુમાનની વિશેષ પૂજા અને તેમના મંત્રોનો જાપ કરવાથી વિશેષ લાભ મળે છે. આ મંત્રો દરેક પરેશાનીઓમાંથી મુક્તિ અપાવે છે. બજરંગબલીની પૂજા કરવાથી ભક્તોને દરેક સમસ્યામાંથી મુક્તિ મળે છે. મંગળવારનો દિવસ બજરંગબલીને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલા ઉપાયોથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને તેમની કૃપાથી ભક્તોના તમામ કાર્યો પૂર્ણ થાય છે.
હનુમાનજીની પૂજામાં મંત્રોનો જાપ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મંત્રોને કષ્ટ અને રોગોથી મુક્તિ અપાવવામાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આવો જાણીએ હનુમાનજીના આ ચમત્કારી મંત્રો અને તેના ફાયદા વિશે.
હનુમાનજીના ચમત્કારીક મંત્ર
ॐ दक्षिणमुखाय पच्चमुख हनुमते करालबदनाय–
આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિના મનમાંથી ભય દૂર થાય છે. આ મંત્રનો જાપ ભૂત, બાધાઓ અને અન્ય નકારાત્મક શક્તિઓથી રક્ષણ કરે છે.
नारसिंहाय ॐ हां हीं हूं हौं हः सकलभीतप्रेतदमनाय स्वाहा।
બજરંગબલીના આ મંત્રને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનો જાપ ઓછામાં ઓછો 21 વાર કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિની અંદર ઉત્સાહ અને સકારાત્મક શક્તિઓ આવે છે.
ॐ पूर्वक्पिमुखाय पच्चमुख हनुमते तंतन्तंतं सकल शत्र सहरनाय स्वाहा।
દર મંગળવાર અને શનિવારે આ મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિમાં આત્મવિશ્વાસ વધે છે અને તેના દુશ્મનો તેના પર હાવી નથી થતા.
मर्कटेश महोत्साह सर्वशोक विनाशन।
મંગળવારે આ મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ. તેનાથી વ્યક્તિની પ્રગતિ થાય છે અને નોકરીમાં આવતા તમામ અવરોધો દૂર થાય છે.
मंगल भवन अमंगलहारी द्रवहु सो दशरथ अजिर विहारी।
આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિની તમામ પ્રકારની શારીરિક અને માનસિક તકલીફો દૂર થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ મંત્રનો દરરોજ જાપ કરવાથી વિશેષ લાભ મળે છે.
ऊं हं हनुमते नम:
હનુમાનજીનો આ મંત્ર ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિને દરેક પીડા અને રોગથી મુક્તિ મળે છે. કાર્યમાં સફળતા માટે આ મંત્ર ખૂબ જ ફાયદાકારક છે.