એક સ્વસ્થ વ્યક્તિએ દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ? વજન ઓછું કરવામાં મળશે મદદ

તમે જ્યારે પણ ઘરમાં જમવા માટે બેસો છો તો માં તમને એક-બે રોટલી વધારે ખાવા માટે આપી દેતી હોય છે. આવું એટલા માટે કારણ કે ભારતીય ભોજન રોટલી વગર અધૂરું છે અને રોટલીમાં ખૂબ જ તાકાત હોય છે રોટલીમાં એટલો સ્વાદ હોય છે કે કોઈપણ શાક બનેલું હોય રોટલી ખાવી જરૂરી હોય છે નાના બાળકો જો શાક સાથે રોટલી ન ખાતા હોય તો તેમને દૂધ-રોટલી, દહી-રોટલી અથવા ખાંડ-રોટલી નાં રૂપમાં રોટલી પીરસવામાં આવે છે.
દરેક વ્યક્તિ પોતાની ભૂખ અને ક્ષમતા અનુસાર રોટલીનું સેવન કરે છે. અમુક લોકો વજન ઓછું કરવાના ચક્કરમાં સૌથી પહેલા રોટલી ખાવાનું ઓછું કરી દેતા હોય છે. તેવામાં તમારા માટે જાણવું જરૂરી છે કે જો તમારે વજન ઘટાડવું છે, તો કેટલી રોટલી ખાવી જોઈએ.
કેટલી રોટલી ખાવી
લગભગ દરેક ભારતીય ઘરમાં ઘઉંની રોટલી બનાવવામાં આવે છે. તેમાં ભરપૂર માત્રામાં મૈક્રો-ન્યુટ્રિએંટ હોય છે. સાથે સાથે તેમાં પ્રોટીન અને ફાઇબર પણ ખૂબ જ માત્રામાં મળી આવે છે. તેવામાં જ્યારે તમે રોટલીનું સેવન કરો છો તો તેનું પાચન યોગ્ય રીતે થાય છે. જો તમે ૬ ઈંચની એક રોટલી ખાઓ છો તો તેનાથી તમારા શરીરમાં ૧૫ ગ્રામ કાર્બ્સ, ૩ ગ્રામ પ્રોટીન અને ૦.૪ ફાઇબર મળે છે.
શરીરનું વજન ઓછું કરવા માટે તે જાણવું જરૂરી છે કે તમારા શરીરમાં કેટલા કાર્બ્સની જરૂરિયાત છે. તેવામાં તે હિસાબથી રોટલી ખાવી જોઈએ. જો તમે દૂધ, સોડા, ખાંડ અથવા તેલનું સેવન કરો છો તો તમારા શરીરમાં કાર્બ્સની માત્રા વધી જાય છે. તેવામાં રોટલી દ્વારા શરીરમાં ઓછું કાર્બ્સ ઉમેરવું જોઇએ. જો તમે આવી ચીજો વધારે સેવન કરો છો તો પછી રોટલી ઓછી ખાવી જોઈએ.
ક્યા સમયે પ્રોટીનનું સેવન કરવાથી મળશે ફાયદો
વજન ઓછું કરવા માટે કેટલી રોટલી ખાવી જોઈએ તે જાણવું જરૂરી છે. મહત્વપૂર્ણ છે કે રોટલીની માત્રા પુરૂષો અને મહિલાઓની અલગ-અલગ હોય છે. જો તમે મહિલા છો અને તમારો ડાયટ પ્લાન દિવસમાં ૧૪૦૦ કેલેરી લેવાનો છે, તો તમારે ૨ રોટલી દિવસમાં અને ૨ રોટલી રાત્રિના સમયે ખાવી જોઈએ. વળી જો તમે પુરુષ છો અને તમારો ડાયટ પ્લાન ૧૮૦૦ કેલેરીનો છે, તો તમારે દિવસે અને રાત્રે ૩-૩ રોટલી ખાવી જોઈએ.
વજન ઓછું કરવા માટે ફક્ત રોટલીની ગણતરી જરૂર નથી. તમારે ધ્યાન રાખવું જરૂરી છે કે કયા સમયે કેટલી રોટલી ખાવી જોઈએ. હેલ્થ એક્સપર્ટનું માનવામાં આવે તો રાતની તુલનામાં દિવસના સમયે રોટલી ખાવી વધારે યોગ્ય માનવામાં આવે છે. હકીકતમાં રોટલીમાં ફાઇબર હોય છે જે પચવાની પ્રોસેસને ધીમી બનાવે છે. જ્યારે તમે દિવસના રોટલી ખાઓ છો, તો તેની સાથે સાથે તમે મહેનત પણ કરી રહ્યા હોય અને કામ કરતા રહો છો તેવામાં રોટલી તમારા શરીરને વધારે લાગતી નથી અને તમને એનર્જી આપે છે.
બીજી તરફ જ્યારે તમે રાતના સમયે રોટલીનું સેવન કરો છો અને સુઈ જાઓ છો તો તેના પાચનની ક્રિયા ચાલુ રહે છે. તે શરીર માટે યોગ્ય માનવામાં આવતું નથી. તેવામાં રાત્રિના સમયે રોટલી ખાવી યોગ્ય નથી. જો કે રોટલીનું સેવન ચોખાનાં સેવન થી વધારે શ્રેષ્ઠ માનવામાં આવે છે. રોટલીમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે હોય છે, જેનાથી પેટ લાંબો સમય સુધી ભરેલું રહે છે. સાથોસાથ તે બ્લડ શુગર લેવલને ધીરે ધીરે પ્રભાવિત કરે છે. બીજી તરફ ચોખામાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે હોય છે અને તે જલ્દી પચી જતા હોય છે. તે તમારા બ્લડ શુગર લેવલને ઝડપથી ઇફેક્ટ કરે છે. તેવામાં રોટલીનું સેવન દરેક સ્થિતિમાં શ્રેષ્ઠ છે.