દરેક ઘરમાં હોવી જોઈએ આ ૬ ચીજો, ગરીબી દુર ભાગી જશે અને પૈસા ખેંચાઇ આવશે

દરેક ઘરમાં હોવી જોઈએ આ ૬ ચીજો, ગરીબી દુર ભાગી જશે અને પૈસા ખેંચાઇ આવશે

ઘરમાં જો નેગેટિવ એનર્જીનું લેવલ વધારે થઈ જાય છે, તો પરિવારને સુખ શાંતિને નજર લાગી જાય છે. ધનને લઈને પણ ચિંતાઓ વધવા લાગે છે. એટલા માટે વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં નેગેટિવ એનર્જીને પોઝિટિવ એનર્જીમાં બદલવાના ઉપાય બતાવવામાં આવે છે. તેના અનુસાર ઘરમાં અમુક ખાસ ચીજોને રાખીને દરરોજ તેનાં દર્શન કરવામાં આવે તો સકારાત્મક ઉર્જાનું સ્તર આપોઆપ વધવા લાગે છે. તેનાથી તમારા ઘરમાં સુખ, શાંતિ તથા ધન આવવા લાગે છે.

મોર પંખ

તેને ઘરના પૂજા સ્થળમાં રાખવું જોઇએ. તેનાથી ફક્ત સકારાત્મક ઉર્જા વધતી નથી, પરંતુ જીવજંતુઓ પણ ઓછા આવે છે. એવી માન્યતા છે કે મોર પંખને ઘરમાં રાખવાથી ભગવાન વિષ્ણુનાં બધા અવતારોનાં દર્શન થઈ જાય છે.

પારદ શિવલિંગ

વાસ્તુશાસ્ત્રમાં પારદ શિવલિંગને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. તેને ભગવાન શિવ સાથે સંબંધિત કોઇ શુભ તિથિ ઘરમાં સ્થાપિત કરવું જોઇએ. તેની દરરોજ વિધિ-વિધાનથી પૂજા કરવાથી દરેક ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે.

શ્રીયંત્ર

તેને પૂજા સ્થળમાં રાખવું જોઈએ. લક્ષ્મીજીનું પ્રિય હોવાને કારણે તેની પૂજા પાઠ કરવાથી ધનની કમી થતી નથી. તેને ઘરમાં રાખવાથી માતા લક્ષ્મી સાથે સાથે ભગવાન લક્ષ્મી નારાયણની કૃપા પણ પ્રાપ્ત થાય છે.

દક્ષિણાવર્તી શંખ

પુરાણોમાં દક્ષિણાવર્તી શંખનું મહત્વ ખૂબ જ બતાવવામાં આવ્યું છે. માન્યતા છે કે તેને ઘરમાં રાખવાથી દુર્ઘટના, મૃત્યુ, ચોરી અને શત્રુઓનો ભય રહેતો નથી. તેના માધ્યમથી તમે લક્ષ્મીજીને પણ ખૂબ જ જલદી પ્રાપ્ત કરી શકો છો. આ શંખ ઋણ, રોગ અને દરિદ્રતા દૂર કરીને ઘરમાં સમૃદ્ધિ લાવે છે.

તુલસી

હિન્દુ ધર્મમાં તુલસીને દેવી માં ની સંજ્ઞા આપવામાં આવી છે. વળી તેના પ્રાકૃતિક ઔષધિ તરીકે પણ ઘણા લાભ છે. તે વાતાવરણને શુદ્ધ કરવાનું કામ કરે છે. વળી તેને ખાવાથી ઘણી બીમારીઓ પણ દૂર થાય છે. તુલસી ઘરની પોઝિટિવ એનર્જીને હંમેશા ઉચ્ચ સ્તર પર રાખે છે. તેનાથી ધનની વૃદ્ધિ પણ ખૂબ જ જલદી થાય છે.

નૃત્ય ગણપતિ

ઘરની અંદર નૃત્ય કરતા ગણપતિની મૂર્તિ અથવા તેમની તસ્વીર જરૂરથી લગાવવી જોઈએ. આ પ્રકારના ગણેશજી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને પૂર્વ અથવા ઉત્તર દિશામાં રાખવા જોઈએ. તેમની કૃપાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઇ રહે છે. તે ઘરની નેગેટિવ એનર્જીને ખૂબ જલ્દી નષ્ટ કરી નાખે છે. તેનાં દરરોજ દર્શન કરવાથી મન પ્રસન્ન અને સુખી રહે છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *