છુટાછેડા લીધા વગર કરીના ની મમ્મી ૩૩ વર્ષથી તેના પિતા રણધીર કપુરથી અલગ રહે છે, દિલચસ્પ છે કારણ

છુટાછેડા લીધા વગર કરીના ની મમ્મી ૩૩ વર્ષથી તેના પિતા રણધીર કપુરથી અલગ રહે છે, દિલચસ્પ છે કારણ

બોલીવુડ અભિનેત્રી કરિશ્મા કપુર અને કરીના કપુરની માતા બબીતા કપુર હાલમાં પોતાનો ૭૪મો જન્મદિવસ ઉજવી રહી છે. બબીતા પહેલાનાં જમાનાની મશહૂર અભિનેત્રી હતી. તેમની માતા બબીતાનો જન્મ ૨૦ એપ્રિલ, ૧૯૪૭નાં મુંબઈ શહેરમાં થયો હતો. બબીતાએ ૧૯૬૬માં ફિલ્મ “દસ લાખ” થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. તેમણે માત્ર પાંચ વર્ષની ફિલ્મી કારકિર્દીમાં એકથી એક ચડિયાતી ફિલ્મ આપી હતી. ત્યારબાદ તેમણે રણધિર કપુર સાથે લગ્ન કર્યાં.

બબીતા લગ્ન પછી અભિનય છોડીને પોતાના પરિવારને દેખભાળ કરવા લાગી. ત્યારબાદ તેમને ત્યાં કરિશ્મા કપુરનો જન્મ થયો. તેના થોડા વર્ષો પછી એક બીજી પુત્રી કરીના કપુરનો જન્મ થયો. તે દરમિયાન રણધીર કપુર અને કારકિર્દી ખૂબ જ ખરાબ ચાલી રહી હતી. તેના લીધે બંને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થવા લાગ્યા. ત્યારબાદ બબીતા પોતાની બંને પુત્રીઓને લઈને અલગ રહેવા લાગી.

કરીના અને કરિશ્માનાં માતા-પિતા આજે ૩૩ વર્ષથી છૂટાછેડા લીધા વગર અલગ રહે છે. રણધીર અને બબીતાએ સાથે પહેલી ફિલ્મ “કલ આજ ઔર કલ” કરી હતી. તેની પહેલી ફિલ્મ પછી બંને એકબીજા તરફ આકર્ષિત થયા હતા. તે દરમિયાન બંનેને પ્રેમ થઈ ગયો. રણધીર પંજાબી હતા અને તેમની પત્ની બબીતા સિંધી ફેમિલી સાથે સંબંધ હતી.

આ કપલે જ્યારે લગ્ન માટે પોતાના પરિવાર સાથે વાત કરી, ત્યારે દરેક લોકો તેમના વિરોધ હતા. કોઈપણ લગ્નનાં ફેવરમાં ન હતું. તેનું મોટું કારણ એ હતું કે કપુર પરિવારની છોકરીઓ તે સમયે ન તો ફિલ્મોમાં અભિનય કરતી ન હતી અને ન તો કોઈ અભિનેત્રીનાં પરિવાર સાથે લગ્ન કરતી હતી. બબીતાનાં કહેવા પર રણધીરે પોતાના પિતા રાજ કપુરને લગ્નની વાત કરી, પરંતુ રાજ કપુર કોઈપણ શરતો પર તૈયાર ન હતા.

ત્યારબાદ રણધીર કપુરે બબીતાની સામે એક શરત રાખી કે તેણે લગ્ન પછી તેમના ફિલ્મ કારકિર્દીને અલવિદા કેહવું પડશે. બબીતાનાં હાં કહ્યા પછી બંનેએ વર્ષ ૧૯૭૧માં લગ્ન કરી લીધા. વળી બબીતાની ફિલ્મ કારકિર્દી પૂર્ણ થઇ ગઇ હતી અને બબીતાનાં લગ્નમાં પરિવાર અને અમુક નજીકના સંબંધીઓ હાજર હતા. લગ્ન કર્યા પછી રણધીર બબીતાની સાથે એક અલગ ફ્લેટમાં રહેવા લાગ્યા હતા.

૧૯૭૪માં કરિશ્મા કપુર અને ૧૯૮૦માં કરીના કપુરનો જન્મ થયો. બબીતાએ પોતાની ફિલ્મી કારકિર્દી મૂકી દીધી હતી, પરંતુ પોતાની બંને પુત્રીઓને અભિનેત્રી બનાવવા માંગતી હતી. લગ્નનાં અમુક દિવસ સુધી બધું બરાબર હતું, પરંતુ લગ્ન થોડાક દિવસોમાં બંને વચ્ચે તણાવ રહેવા લાગ્યો. રણધીર કામ ન મળવાને લીધે પરેશાન રહેતા હતા. ત્યારબાદ બબીતા રણધિર થી અલગ થવાનો નિર્ણય લીધો અને કપુર ખાનદાનની મૂકી જતી રહી.

બબીતાએ અલગ થયા પછી પોતાની પુત્રી કરિશ્મા અને કરીનાની કારકિર્દી પર ધ્યાન આપવાનું ચાલુ કર્યું. તે બંનેની કારકિર્દીથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કપુર પરિવારનાં વિરોધ પછી ચમક્વા લાગી. એક ઇન્ટરવ્યૂ દરમિયાન રણધીરે ખુલાસો કર્યો હતો કે તેમની પત્ની બબીતા તેમના ડ્રીંક કરવાના લીધે પરેશાન હતી. એજ કારણથી બંને વચ્ચે લડાઈ ઝઘડા થતા હતા. પોતાના છૂટાછેડા વિષે કહ્યું હતું કે, શા માટે છૂટાછેડા? આપણે છૂટાછેડા શા લેવા જોઈએ? ના હું બીજી વાર લગ્ન કરવા માંગું છું કે ના બબીતા.

અભિનેત્રી બબીતાએ રાજ, ફરજ, કિસ્મત, હસીના માન જાયેગી, તુમસે અચ્છા કોન હૈ, એક શ્રીમાન એક શ્રીમતી, ડોલી, અંજાના, પહેચાન, કલ આજ ઔર કલ, જીત, એક હસીના દો દીવાને, જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *