ભુલથી પણ ફ્રિજમાં રાખેલ લોટનો ઉપયોગ ના કરો, નહિતર આ બીમારીઓના થઈ જશો શિકાર

ભુલથી પણ ફ્રિજમાં રાખેલ લોટનો ઉપયોગ ના કરો, નહિતર આ બીમારીઓના થઈ જશો શિકાર

વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ જાગૃત રહે છે. પોતાના સ્વાસ્થ્યને શ્રેષ્ઠ બનાવી રાખવા માટે દરરોજ વ્યાયામ કરે છે અને સ્વાસ્થ્ય વર્ધક ચીજોનું સેવન કરે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આપણાથી કોઈને કોઈ ભૂલ થઈ જાય છે, જેના કારણે આપણને સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ માંથી પસાર થવું પડે છે. અવારનવાર જોવામાં આવ્યું છે કે ઘરમાં જ્યારે રોટલી બનાવવામાં આવે છે તો ઘણી વખત વધારે પડતો લોટ ગૂંથેલો હોવાને કારણે વ્યક્તિ તેને સુરક્ષિત ફ્રીઝમાં રાખી દેતા હોય છે. જેથી બીજી વખત તે ગુથેલા લોટમાંથી રોટલી બનાવી શકાય અને ફ્રીજમાં રાખેલ લોટ ખરાબ ન થાય.

પરંતુ કદાચ તમે તે વાતથી વાકેફ નહીં હોય કે ફ્રીઝમાં રાખેલ લોટની રોટલી બનાવીને તેનું સેવન કરવાથી તમે ઘણી બધી બિમારીઓની ઝપેટમાં આવી શકો છો. કારણ કે જ્યારે ફ્રીજની અંદર ગૂંથેલો લોટ રાખવામાં આવે છે તો તેના પર ભીનું કપડું રાખવામાં આવે છે. જેનાથી તેમાં ઘણા પ્રકારના પ્રકારના બેક્ટેરિયા અને હાનીકારક કેમિકલ ઉત્પન્ન થવા લાગે છે.

આજકાલની મહિલાઓ પોતાના કામકાજમાં વ્યસ્ત રહે છે. મહિલા બહાર નોકરી કરે છે જેના કારણે તે પોતાના કામકાજમાં હંમેશા વ્યસ્ત રહે છે. પોતાનો સમય બચાવવા માટે વારંવાર મહિલાઓ વધારે લોટ બાંધીને રાખી દેતી હોય છે, જેથી તેમનો સમય બચી શકે. પરંતુ ફ્રીઝમાં રાખેલ વાસી લોટની રોટલી ભલે તમને ખરાબ ન લાગતી હોય, પરંતુ જ્યારે તમે તેનું સેવન કરશો તો તેનાથી તમને ઘણી બધી બીમારીઓ થવાનો ખતરો વધી શકે છે. આજે અમે તમને ફ્રીઝમાં રાખેલ વાસી લોટની રોટલી ખાવાથી ક્યાં પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે, તેના વિશે જાણકારી આપીશું.

ફ્રિઝમાં રાખેલો લોટ થી કઈ પરેશાનીઓ થાય છે

  • જો તમે રાતના બચેલ લોટને બીજા દિવસે ઉપયોગ કરીને રોટલી બનાવો છો તો સાવધાન થઈ જવું જોઈએ. કારણ કે આ બચેલા લોટનો ફરીથી ઉપયોગ કરવાથી તમને કબજિયાત થવાની સંભાવના વધારે રહે છે. જો કોઈ વ્યક્તિને કબજિયાતની સમસ્યા હોય તો તેમણે તેનું સેવન બિલકુલ કરવું જોઈએ નહીં.
  • જો તમે વાસી અને બચેલ લોટની રોટલી બનાવીને ઉપયોગ કરો છો તો તેનાથી પાચન ક્રિયા ખરાબ થવાની સંભાવના રહે છે. તે સિવાય તમારી ઇમ્યુન સિસ્ટમ પણ કમજોર થવા લાગે છે.
  • વાસી લોટની રોટલી ખાવાથી તમને ગેસની સમસ્યા ઉત્પન્ન થવા લાગે છે. અવારનવાર તમને પેટમાં દુખાવો અને ગેસની સમસ્યા થાય છે.

વાસી ચોખા પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક

ફક્ત વાસી લોટ જ નહીં પરંતુ વાસી ચોખા પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. ઘણી વખત જોવામાં આવે છે કે લોકો પકાવેલા ભાતને રાખી દેતા હોય છે અને તેનો ગરમ કરીને બીજી વખત ઉપયોગ કરતા હોય છે. પરંતુ બીજી વખત ગરમ કરવાથી તેમાં રહેલ હાનિકારક બેક્ટેરિયા અનેક ગણા વધી જતા હોય છે. એટલા માટે ક્યારેય પણ વધારે સમય સુધી પકાવેલા ચોખાનું સેવન ન કરવું જોઈએ. કારણ કે તેનાથી તમને ઉલ્ટી, પેટમાં દુખાવો અને ડાયેરિયા જેવી બીમારીઓ થવાનો ખતરો રહે છે.

ઉપરોક્ત જાણકારી પરથી તમે જાણી ગયા હશો કે વાસી લોટ અને વાસી ચોખાનું સેવન કરવાથી તમને કંઈ પણ પ્રકારની બીમારીઓ ઉત્પન્ન થઈ શકે છે. તે સિવાય જો તમે કોઇ પણ ખોરાક ફ્રિજમાં રાખ્યા બાદ તેનો ઉપયોગ કરો છો, તો તેમાં રહેલ પોષક તત્વો નષ્ટ થઈ જાય છે. ભોજનનું સેવન કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે કે તેમાં રહેલ પોષક તત્વ આપણે પ્રાપ્ત કરી શકીએ. પરંતુ આપણે ભોજન ફ્રીજમાં રાખી લેતા હોઈએ છીએ, જેનાથી ભલે તે ખરાબ નથી થતું પરંતુ તેમાં રહેલ પોષક તત્વ ખતમ થઇ જાય છે.

એટલા માટે તમે કોઈપણ ભોજન ફ્રીઝમાં રાખીને તેને ઉપયોગ ના કરો. બની શકે તો તેટલું જ ભોજન બનાવો જેટલું ખાઈ શકો છો. પરંતુ તમારે કોશિશ કરવી જોઈએ કે ભોજન બચે નહીં, કારણ કે જો તમે ભોજન ફ્રીઝમાં રાખીને ઉપયોગ કરો છો તો તેનાથી સ્વાસ્થ્ય અને ફાયદાને બદલે નુકસાન થવા લાગે છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *