અખરોટ ખાવાથી દૂર થાય છે ગંભીર શારીરિક સમસ્યાઓ, જાણો કઇ રીતે અને ક્યારે કરવું તેનું સેવન

કોરોના કાળે ભલે વ્યક્તિને કોઈ શીખ આપી હોય કે નહિ. પરંતુ સ્વાસ્થ્યને લઈને દરેક વ્યક્તિ હવે સજાગ થઈ ગયા છે. ભલે તે ગરીબ હોય કે અમીર પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સચેત થઈ ગયા છે. અંગ્રેજીમાં એક સારી કહેવત છે કે, ‘હેલ્થ ઇઝ વેલ્થ’ તો ચાલો આપણે જાણીએ કે, કઈ રીતે સવારે ખાલી પેટ અખરોટનું સેવન કરવાથી સ્વાસ્થ્ય નિરોગી બની શકે છે. અખરોટ નો ઉપયોગ કરીને દૂર કરી શકાય છે કેન્સર જેવી ભયંકર બીમારી. અખરોટ ને વિટામિન્સ નો રાજા કહેવામાં આવે છે.
અખરોટમાં ફાઇબર, હેલ્ધી ફેટ, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર માત્રા હોય છે. જે ફક્ત આપણા દિમાગ ને મજબૂત બનાવે છે. સાથેજ મેમરી માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત અખરોટનું સેવન સંપૂર્ણ માનવ શરીર માટે લાભદાયક છે. તેનું નિત્ય સેવન કરવાથી ઘણા પ્રકારની બીમારીઓથી છુટકારો અપાવે છે. પરંતુ શરત છે કે, તેને સીધું ખાવાને બદલે પલાળીને તેનું સેવન કરવું.
અખરોટ માં ઓમેગા ૩ અને ફેટી એસીડ હોય છે. જે હાર્ટ ને સવ્સ્થ રાખે છે. તને ખાવાને બદલે પલાળીને ખાવાથી વધારે ફાયદો થાય છે. સામાન્ય વ્યક્તિને અખરોટ ની અંદર કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, કોપર, ઓમેગા-૩, ફેટી એસિડ અને ઝીંક પણ હોય છે. જે શરીર ને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે.
અખરોટ કયા કયા રોગોથી બચાવે છે
ઘણા રિસર્ચ મુજબ અખરોટનું સેવન કરવાથી બ્રેસ્ટ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર અને કોલોરેકટલ કેન્સર જેવી ગંભીર બિમારીઓ નું જોખમ ઓછું કરે છે. અખરોટમાં પોલીફેનિલ ઈલાગીટેનિન્સ હોય છે. જે ઘણા પ્રકારના કેન્સર થી સુરક્ષા પ્રદાન કરે છે. અખરોટ ખાવાથી હોર્મોન્સ થી જોડાયેલ કેન્સરનું જોખમ ઓછું રહે છે. એટલું જ નહીં હાડકા અને દાંતને પણ અખરોટ મજબૂત બનાવે છે. તેની પાછળનું કારણ એ છે કે, અખરોટમાં અલ્ફા લિનોલેનીક નીકલી નો અલ્પા લીનોલેનીક એસિડ હોય છે. જે હાડકાંને મજબૂત કરવામાં સક્ષમ હોય છે. જો તમે મોટાપા નાં શિકાર હોવ વધારે વજન ને કારણે પરેશાન હોવ તો દરરોજ સવારે બે અખરોટ પલાળીને ખાવાથી વજન ઓછું થાય છે.
આ ઉપરાંત ડાયાબિટીસમાં પણ અખરોટ ફાયદાકારક રહે છે. આજે ભારતમાં ડાયાબિટીસની સમસ્યા ખૂબ જ વધારે છે. એવામાં ડાયાબિટીસ છુટકારો મેળવવા માટે અખરોટ નો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા સર્વેમાં જણાવવામાં આવે છે કે, રોજ બે અખરોટનું સેવન કરવાથી ટાઈપ-૨ ડાયાબિટીસ નું જોખમ ઓછું રહે છે. અને બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. અખરોટ પાચન પ્રણાલી ને પણ મજબૂત કરે છે તેનાથી કબજિયાત જેવા રોગોથી છુટકારો મળે છે. એક વાતનું ધ્યાન રહે કે, કોઈપણ પ્રકારની એલર્જી હોય તો ડોક્ટરની સલાહ પ્રમાણે તેનું સેવન કરવું.