આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલનો થઈ ગયો હતો ઝઘડો, જાણો તેનું કારણ

આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલનો થઈ ગયો હતો ઝઘડો, જાણો તેનું કારણ

સિંગર આદિત્ય નારાયણ અને અભિનેત્રી શ્વેતા અગ્રવાલે ગયા વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કર્યા હતા. આ કપલનાં લગ્નને લગભગ પાંચ મહિના પસાર થયા છે. આ દિવસોમાં આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલ સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરી રહ્યો છે. એજ સમયે આ કપલ વિશે એક સમાચાર આવી રહ્યા છે.

એક ઇન્ટરવ્યૂમાં આદિત્ય પોતાના અંગત જીવન પર ખોલીને વાત કરી હતી. આદિત્યએ કહ્યું હતું કે ગયા વર્ષે કોરોનાને લીધે તેના લગ્નની પ્રક્રિયા ખૂબ જ ઝડપથી આગળ વધી. કારણ કે છેલ્લા લોકડાઉન માં શ્વેતા સાથે થોડો ઝઘડો થયો હતો. કારણકે તે તેને ખૂબ જ યાદ કરતા હતા.

આદિત્યએ કહ્યું કે તમે ઇચ્છો છો કે તમારી નજીકનો વ્યક્તિ તમારી સાથે રહે, તેથી મેં નક્કી કર્યું કે જ્યારે પણ આ લોકડાઉન પૂર્ણ થશે ત્યારે સાથે મળીને સમય પસાર કરવામાં કોઈ ઝઘડો થશે નહીં. આદિત્યએ કહ્યું કે તેમના ગુસ્સાનો મુખ્ય કારણ હતું શ્વેતા સાથે મુલાકાત ના થવી. કારણ કે તે બંને એકબીજાની નજીક રહેતા હતા અને લોકડાઉનને કારણે મળી શકતા ન હતા.

તેથી બંને ચીડીયા થઈ ગયા હતા. આદિત્ય નારાયણે કહ્યું કે અમારા લગ્ન થયા ત્યારે ચીજો ખૂબ જ સારી હતી. હવે બીજી લહેર આવી ગઈ છે તેથી મને લાગે છે કે અમે લગ્ન કરીને ખૂબ જ સારું કર્યું છે. હવે શ્વેતા મારી સાથે છે. મને એકલતા લાગતી નથી. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસને લીધે આ દંપતીએ તેમના નજીકના પરિવાર અને મિત્રોને જ આમંત્રણ આપ્યું હતું.

કારણ કે મુંબઈમાં ૫૦ થી વધારે મહેમાનોને એકઠા થવાની મંજૂરી ન હતી. આદિત્ય અને શ્વેતા ની પહેલી મુલાકાત ૨૦૧૦ ની હોરર ફિલ્મ “શાપિત” નાં સેટ પર થઈ હતી. તે પછી આ બંનેએ એકબીજાને ડેટ કરવાનું ચાલુ કર્યું. આદિત્ય નારાયણ હાલમાં ઇન્ડિયન આઇડલ-૧૨ ને હોસ્ટ કરી રહ્યા છે. શોનું શૂટિંગ હાલના તબક્કે રોકી દેવામાં આવ્યું છે, પરંતુ કેટલાક એપિસોડ પ્રસારિત થઈ રહ્યા છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *