આ હસીનાને લીધે થયા હતા રશ્મિ દેસાઇ અને નંદીશનાં છૂટાછેડા, ૫ વર્ષ લગ્ન ટકી શક્યા નહીં

આ હસીનાને લીધે થયા હતા રશ્મિ દેસાઇ અને નંદીશનાં છૂટાછેડા, ૫ વર્ષ લગ્ન ટકી શક્યા નહીં

ટીવી ઇન્ડસ્ટ્રીઝની જાણીતી અને સુંદર અભિનેત્રી રશ્મિ દેસાઇ હંમેશા સોશિયલ મીડિયા પર પોતાના ફોટા અને વિડીયો પોસ્ટ કરતી રહે છે. સોશિયલ મીડિયા પર રશ્મિ ની એક સારી ફેન ફોલોઈંગ છે. રશ્મિ પોતાના વ્યાવસાયિક જીવનની સાથે પોતાના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે.

જણાવી દઈએ તો રશ્મિ દેસાઇએ ૧૨ ફેબ્રુઆરી, ૨૦૧૨નાં નંદિશ સંધુ સાથે લગ્ન કર્યા હતા.  પરંતુ આ સંબંધ કોઈ ત્રીજા વ્યક્તિનાં લીધે લાંબો સમય ચાલી શક્યો નહીં. બંનેની પ્રેમ કહાની શરૂઆત ટીવી ધારાવાહિક “ઉત્તરન” દરમિયાન થઇ હતી. વર્ષ ૨૦૦૯માં સીરીયલ “ઉતરન” નાં સેટ ઉપર બંને પહેલી વખત મળ્યા હતા. જણાવી દઈએ તો બંનેએ આ ધારાવાહિક માં મહત્વપૂર્ણ રોલ આપ્યો હતો.

“ઉતરન” નાં સેટ ઉપર રશ્મિ અને નંદીશ ને પ્રેમ થયો હતો. ત્યારબાદ બંને લગ્નનાં બંધનમાં બંધાઈ ગયા, પરંતુ લગ્ન સફળ રહ્યા નહીં. લગ્નનાં થોડાક મહિના પછી તે બંનેએ અલગ રહેવાનો નિર્ણય સાંભળીને દરેક આશ્ચર્ય થઈ ગયા. બંનેનાં સંબંધનો પાંચ વર્ષમાં અંત થઈ ગયો.

રશ્મિ અને નંદીશ અલગ થવાનું કારણ અંકિતા શૌરી છે. કહેવામાં આવે છે કે નંદીશનું અંકિતા શૌરી સાથે એક્સટ્રા મેરિટલ અફેર હતું. અંકિતા મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલ ૨૦૧૧ રહી ચૂકી છે. તેની નંદીશ સાથે વધારે નજીક રહેવા લાગી અને તેના લીધે રશ્મિ અને નંદીશ હંમેશા માટે અલગ થઈ ગયા. પરંતુ નંદીશે તે આ વાતનો સ્વીકાર કર્યો નથી.

વર્ષ ૨૦૧૩માં રશ્મિ અને નંદીશ અલગ રહેવા લાગ્યા હતા, પરંતુ બંને પોતાના સંબંધને એક અવસર આપ્યો અને બંનેએ વર્ષ ૨૦૧૫માં જોડી ડાન્સ રિયાલિટી શો “નચ બલિયે” માં ભાગ લીધો. તે દરમિયાન બંનેએ પોતાની લગ્નની વર્ષગાંઠ ઉજવી. પરંતુ ત્યારબાદ અચાનક તેમનાં છુટાછેડાનાં સમાચાર સામે આવ્યા અને વર્ષ ૨૦૧૬માં બંનેની જોડી તૂટી ગઈ.

છૂટાછેડા પછી નંદિશે કહ્યું કે રશ્મિ અને મારા સંબંધમાં ઉતાર-ચઢાવ હતા. તે સત્ય છે કે અમે અલગ થઈ રહ્યા છીએ. તેની એક વર્ષ પહેલા ડોકયુમેંટ સબમિટ કર્યા હતા, ત્યારે મેં તેને એક તક આપવા માટે મનાવી લીધી હતી. પરંતુ આ વખત ફરી જ્યારે તેણે ડોકયુમેંટ સબમિટ કર્યા ત્યારે મેં વિરોધ કર્યો નહીં. મેં મારા સંબંધને ૧૦૦ ટકા આપ્યા છે, પરંતુ એવું લાગે છે કે આ બધું એવું હતું કે જેનો કોઈ મતલબ ન હતો.

ત્યાં જ રશ્મિએ કહ્યું કે મને ખબર છે કે લગ્ન બે લોકોની જવાબદારી હોય છે, પરંતુ મારો સંબંધ હંમેશાં અપમાનજનક રહ્યો હતો. અમારી વચ્ચે ત્રણ વર્ષથી પ્રોબ્લેમ હતા. મેં ઘર કેમ મૂક્યું? મેં તેના વિશે ક્યારે વાત કરી નથી. જો તેણે ૧૦૦ ટકા આપ્યા છે, તો આ ચીજ બની ન હોત. જણાવી દઈએ તો નંદીશ અને રશ્મિ ની એક માન્યા નામની પુત્રી છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *