આ ચીજોને કાચી ખાવાથી જીવ જવાની પણ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે, થઈ જાય છે ફૂડ પોઇઝનિંગ

મનુષ્ય માટે ભોજન એટલા માટે બનેલું છે, જેથી તે ખાઈને પોતાના શરીરને યોગ્ય રીતે ચલાવી શકે. જો કે ભોજન બનાવવા માટે અને ખાવાને લઈને ઘણા પ્રકારના બદલાવ કરવામાં આવ્યા છે. હવે લોકો અલગ-અલગ પ્રકારની ડીશ બનાવીને ખાય છે, જેના વિશે પહેલા કોઈને જાણ પણ હતી નહીં. તેનાથી જીભને સ્વાદ તો મળે છે, સાથોસાથ મન પણ ખુશ રહે છે. જો કે અમુક ખાદ્ય પદાર્થો એવા હોય છે જેને પકાવીને ખાવા જોઈએ. અમુક લોકો કોઈપણ ચીજને કાચી ખાવામાં જરા પણ અચકાતા નથી. જોકે આવું કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. વળી અમુક વસ્તુઓને યોગ્ય રીતે પકાવીને ખાવી જોઈએ નહીં, તો જીવ પણ જઈ શકે છે. તો ચાલો તમને આજે એવી ચીજો વિશે જણાવીશું, જેને પકાવીને જ ખાવી જોઈએ.
બટેટા
શાકભાજીનાં રાજા બટેટાનો લગભગ દરેક ડિશમાં ઉપયોગ કરવામાં આવે છે, બટેટાને કોઈ પણ શાકભાજી સાથે ખાઈ શકાય છે અથવા તો પરોઠા અને પકોડાનાં રૂપમાં પણ તેનો ઉપયોગ થાય છે. જોકે ક્યારેય પણ બટેટાને પકાવ્યા વગર ખાવા જોઈએ નહીં. બટેટામાં સ્ટાર્ચ હોય છે, જે ભોજનને યોગ્ય રીતે પચાવવાનું કામ કરે છે. પરંતુ જો તેને કાચુ ખાઈ લેવામાં આવે તો પેટ ફૂલવું અને દુખાવો થવો જેવી થવાની સમસ્યા રહે છે. તેનાથી ફૂડ પોઇઝનિંગ પણ થઈ શકે છે.
સફરજન નાં બી
કહેવામાં આવે છે કે દરરોજ સવારે એક સફરજન ખાવામાં આવે તો બધી જ બીમારીઓ દૂર રહે છે. સફરજન ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે, પરંતુ સફરજનનાં બી ઝેરનું કામ કરે છે. એટલા માટે સફરજનને હંમેશા કાપીને ખાવા જોઈએ, જેથી ભૂલથી પણ તેના બી ગળી ન જવાય. સફરજનનાં બી માં એક પ્રકારનું રસાયણ હોય છે, જે પચવા પર સાઈડમાં બદલી શકે છે.
રાજમા
રાજમા અને ચોખા લગભગ દરેક વ્યક્તિની ડીશ હોય છે. તેમાં પ્રોટીન ફાઇબર અને એન્ટિ ઓક્સિડેન્ટ હોય છે, જે એક સ્વાસ્થ્યવર્ધક દાળ બનાવે છે. જોકે તમારે ભૂલથી પણ રાજમાને કાચા સેવન કરવા ન જોઈએ. કારણ કે તેમાં રહેલ ફાઇટોમેગલગુટિન ટોક્સીન શરીરમાં ફૂડ પોઇઝનિંગ પેદા કરી શકે છે. જેના લીધે રાજમાને મોટાભાગે ઘણા કલાકો સુધી પલાળી રાખવામાં આવે છે, જેથી તેને બનાવતા સમયે તેનું ટોક્સિક નેચર ખતમ થઈ જાય.
દૂધ
દૂધને કંપ્લીટ ફૂડ કહેવામાં આવે છે અને તેનું સેવન કરવાથી તમને બધાં જ પોષક તત્વો મળે છે. ઘણા બધા લોકો સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે ઘણી વખત ગાય અથવા ભેંસના કાચા દૂધનુ પણ સેવન કરે છે, જે ખૂબ જ અયોગ્ય છે. દૂધમાં હાનિકારક બેક્ટેરિયા જેમ કે ઇકોલી અને સાલ્મોનેલા હોય છે, જે ગરમ થવા પર ખતમ થઇ જાય છે. તેવામાં દૂધનું સેવન તેને એક વખત ગરમ કરીને કરવું જોઈએ, નહીંતર તે હાનિકારક બની શકે છે.
લોટ
લોટનું સેવન હંમેશા પકાવીને કરવું જોઈએ. તમે કોઈ રોટલી બનાવો અથવા હલવો કે પછી અન્ય કોઈ ભોજન. પરંતુ ક્યારેય પણ લોટને કાચો ખાવો જોઈએ નહીં. ખેતરથી લઈને રસોઈ સુધી પહોંચવા દરમિયાન લોટ ઘણા રોગ જીવાણુઓનાં સંપર્કમાં આવી શકે છે. તેવામાં તેને પકાવીને ખાવો જોઈએ.
બદામ
બદામને કાચી ખાવામાં આવે છે, પરંતુ કડવી બદામ ખાવાથી બચવું જોઈએ. જો પ્રોસેસ કર્યા વગર ૭-૧૦ બદામ ખાવામાં આવે તો એક બાળકનું મૃત્યુ પણ થઇ શકે છે. ઘણા બધા માં હાઈડ્રોજન સાયનાઈડ અને જળનુ મિક્સર મળી આવે છે. એક ડઝન કડવા બદામ ખાવાથી વ્યક્તિ મરી પણ શકે છે.
ચોખા
ઘણા બધા લોકો કાચા ચોખા પણ ખાય છે, જે બિલકુલ યોગ્ય નથી. કાચા ચોખામાં રોગ ઉત્પન્ન કરતા બેક્ટેરિયા હોય છે, જે પાકી ગયા બાદ ખતમ થઇ જાય છે. તેવામાં પાકેલાં ચોખા ખાવા જોઈએ.
ઈંડા
અમુક લોકો સ્વાસ્થ્યનાં નામ પર કાચા ઈંડાનું સેવન કરે છે, જે ખૂબ જ ખતરનાક છે. કાચા ઇંડામાં રોગજનક સાલ્મોનેલા હોઈ શકે છે, જેનાથી ફૂડ પોઇઝનિંગની સમસ્યા થઈ શકે છે. તેવામાં મોટી ઉંમરના ગર્ભવતી મહિલાઓ અને નાના બાળકોએ તેનું સેવન બિલકુલ કરવું જોઈએ નહીં.