આ ૪ કામમાં પુરુષો કરતાં પણ તેજ હોય છે મહિલાઓ, આચાર્ય ચાણક્ય પોતે આ વાતને માને છે

આ ૪ કામમાં પુરુષો કરતાં પણ તેજ હોય છે મહિલાઓ, આચાર્ય ચાણક્ય પોતે આ વાતને માને છે

આચાર્ય ચાણક્ય પોતાના સમયનાં મહાન વિદ્વાન માનવામાં આવતા હતા. તેઓ કુટનીતિ અને અર્થશાસ્ત્રનાં વિદ્વાન હતા. સાથે જ તેઓ નૈતિકતાના નિષ્ણાત પણ હતા. ચાણક્ય નીતિમાં તેમણે જીવનનાં પાસાંઓ પર જ્ઞાન આપ્યું છે. તેમણે જે લાઇફ મેનેજમેન્ટની ટીપ્સ આપી છે તે આજના સમયમાં પણ અસરકારક સાબિત થાય છે. જીવનની સમસ્યાઓનું સમાધાન તેઓ જે રીતે કરતા હતા તે પ્રશંસનીય છે. તેમની ટિપ્સનો ઉપયોગ કરીને, લોકો હજી પણ તેમના જીવનની ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવે છે.

આચાર્ય ચાણક્યએ લખેલી એક શ્લોકમાં મહિલાઓના કેટલાક વિશેષ ગુણોને પણ પ્રકાશિત કરવામાં આવ્યા છે. તેમણે ૪ બાબતોનો ઉલ્લેખ કર્યો છે, જેમાં સ્ત્રીઓ પુરુષો કરતા વધુ આગળ છે. આજે આપણે વિગતવાર જાણીશું કે તે કાર્યો ક્યાં છે. તે પહેલાં આચાર્ય ચાણક્યનો તે શ્લોક જોઈએ.

श्लोक: स्त्रीणां दिव्गुण आहरो बुद्धिस्तासां चतुर्गुणा। साहसं षड्गुणं चैव कामोष्टगुण उच्येत।।

બમણી ભુખ

આચાર્ય ચાણક્યના જણાવ્યા મુજબ સ્ત્રીઓ પુરુષો કરતા વધારે ખાય છે. શ્લોકમાં ‘સ્વરિનામ દિવ્ગુણ આહારો’ એટલે ભુખ. આચાર્ય ચાણક્ય તેમાં કહે છે કે સ્ત્રીઓ પુરુષો કરતાં બમણી ભુખ લાગે છે. ચાણક્યએ તેનું કારણ પણ જણાવ્યું છે. તેમનો તર્ક છે કે સ્ત્રીઓ પુરુષો કરતા વધારે કામ કરે છે. આવી સ્થિતિમાં તેમને તેમના કરતા વધુ શક્તિની જરૂર હોય છે. બસ એજ કારણ છે કે સ્ત્રીઓને વધુ ખાવાની જરૂર છે.

ચાર ગણી બુધ્ધિશાળી

જ્યારે બુદ્ધિની વાત આવે છે, ત્યારે સ્ત્રીઓ પુરુષો કરતા વધુ તેજ હોય છે. આચાર્ય ચાણક્ય પણ આ વાત સાથે સહમત હતા. તેમનું માનવું હતું કે સ્ત્રીઓ પુરુષો કરતાં વધુ હોશિયાર છે. જ્યારે પણ જીવનમાં કોઈ સમસ્યા આવે છે, ત્યારે તે તેની સમજણથી તેનું નિરાકરણ લાવે છે. તેઓ જીવનની દરેક સમસ્યા વિના ડરનો સામનો કરે છે. તેનું કારણ એ છે કે તેમનો દિમાગ એટલો તેજ ચાલે છે કે તેઓ સમસ્યાને મોટા થતાં પહેલાં તેને દુર કરે છે.

છ ગણી બહાદુર

હિંમત અને બહાદુરીની દ્રષ્ટિએ સ્ત્રીઓ પુરુષો કરતાં આગળ છે. શારીરિક બળની બાબતમાં તેઓ પુરુષો કરતાં ઓછી હોઈ શકે છે, પરંતુ જ્યારે નિર્ભયતા અને હિંમતની વાત આવે છે, ત્યારે તેઓ પ્રથમ આવે છે. તે તેમની હિંમત છે કે તે જીવનની સૌથી મોટી મુશ્કેલીઓ સામે પણ લડે છે. એટલા માટે આચાર્ય ચાણક્યએ પણ પોતાની નીતિમાં કહ્યું છે કે સ્ત્રીઓ પુરુષો કરતાં છ ગણી વધુ બહાદુર હોય છે.

આઠ ગણી કામુકતા

આચાર્ય ચાણક્યનાં મતે સ્ત્રીઓ જાતીયતાની દ્રષ્ટિએ પણ પુરુષો કરતાં આગળ હોય છે. તે નિર્દેશ કરે છે કે સ્ત્રીઓમાં પુરુષો કરતા આઠ ગણી વધુ જાતીયતા હોય છે. તેઓ આ બાબતમાં પુરુષોને પણ પછાડી દે છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *