૧૪૧ દિવસ સુધી શનિ ચાલશે ઊલટી ચાલ, આ રાશિના જાતકો માટે રહેશે સારો સમય, થશે માલામાલ

૧૪૧ દિવસ સુધી શનિ ચાલશે ઊલટી ચાલ, આ રાશિના જાતકો માટે રહેશે સારો સમય, થશે માલામાલ

જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ સમય ની સાથે પોતાની ચાલ બદલતા રહે છે. જેને કારણે દરેક રાશિઓ પર તેનો પ્રભાવ જોવા મળે છે. જો વ્યક્તિ ની કુંડળી માં ગ્રહોની ચાલ બરાબર હોય તો તેના કારણે જીવનમાં સકારાત્મક પરિણામો પ્રાપ્ત થાય છે. પરંતુ ગ્રહોની ચાલ બરાબર ન હોય તો વિપરિત પરિસ્થિતિઓ ઉત્પન્ન થવા લાગે છે. બદલાવ એ પ્રકૃતિનો નિયમ છે. તે નિરંતર ચાલ્યા કરે છે. તેને રોકવો અસંભવ છે. ૧૪૧ દિવસ બાદ શનિ દેવતા ૧૧  ઓક્ટોબર ૨૦૨૧ નાં માર્ગી થઇ અને ગોચર કરશે. તમને જણાવી દઈએ કે, શનિ ની ઉલટી ચાલ આ રાશિના જાતકો માટે રહેશે શુભ

તુલા રાશિ

તુલા રાશિ વાળા લોકો પર શનિદેવની ઉલટી ચાલ નો સારો પ્રભાવ જોવા મળશે. તુલા રાશિ શનિ દેવની પ્રિય રાશિ ગણવામાં આવે છે. તુલા રાશી શનિ ગ્રહની ઉચ્ચ ની રાશી ગણવામાં આવે છે. શનિ દેવની કૃપાથી ભાગ્ય આ રાશિવાળા લોકોને ભાગ્યનો પૂરો સાથ મળશે. જીવનમાં સુખ સુવિધા માં વધારો થશે. દરેક જરૂરિયાતો પૂર્ણ થશે. આવક નાં સાધનોમાં વધારો થશે. દરેક ક્ષેત્રમાં તમને સારો ફાયદો મળવાના યોગ બની રહ્યા છે.

મકર રાશિ

મકર રાશિ વાળા લોકો પર શનિની વક્રી ચાલ ના કારણે સારો સમય જોવા મળશે. આ સમય દરમ્યાન તમે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશો. કોઈ નવું કાર્ય શરૂ કરવા જઈ રહ્યા હોવ તો તેમાં તમને સફળતા મળશે. નોકરી નાં ક્ષેત્રમાં તમારો સારો પ્રભાવ રહેશે. કામકાજમાં આવી રહેલ વિધ્નો દૂર થશે. વિદ્યાર્થીઓ નું મન અભ્યાસમાં લાગી રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ નું  સારું પરિણામ પ્રાપ્ત થશે. જીવન નાં દરેક ક્ષેત્રમાં લાભ પ્રાપ્ત થવાની સંભાવના છે.

કુંભ રાશિ

કુંભ રાશિવાળા લોકો ને શનિની વક્રી ચાલ ના કારણે કોર્ટ-કચેરીની બાબત માં જીત મેળવી શકશે. પારિવારિક વાતાવરણ આનંદ દાયક રહેશે. સામાજિક ક્ષેત્રે માન સન્માનની પ્રાપ્તિ થશે. મોટી માત્રામાં ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. તમારા કરેલા રોકાણથી તમને સારો લાભ મળી શકશે. પ્રભાવશાળી લોકોનાં માર્ગદર્શન થી કેરિયર નાં ક્ષેત્રમાં સતત આગળ વધી શકશો. પતિ-પત્ની વચ્ચે સારો તાલમેળ બની રહેશે. તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. વિદેશમાં કામ કરીને લોકોને સારો ફાયદો થશે. તમારા શત્રુઓને પરાજિત કરી શકશો.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *